SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૧૩ શ્રી ફતેચંદ ઝવેરભાઈ વિ. સં. ૧૯૪૧ની સાલ. એ હતે શરદ ઋતુને આ માસ. એ હતી શુકલ પક્ષની (નવમી પર) દશમીની તિથિ. વ્યવહારમાં એ વિજયાદશમીના શુભ દિવસ તરીકે અંક્તિ થયેલ છે. એટલે શ્રી ફતેચંદભાઈને જન્મ શુભ અવસરે શુભ દિવસે પાલીતાણામાં થએલે. પાલીતાણામાં શ્રી ફતેહચંદભાઈનું એસાળ હતું. તેમનું મૂળ વતન ભાવનગર. છેલ્લા સૈકામાં ભાવનગર જૈન સમાજને કેટલીક અગ્રગણ્ય વ્યક્તિઓ આપી તેમાંના તેઓ એક છે. તેમના પિતા શ્રી ઝવેરભાઈ ભાઈચંદ વીસા શ્રીમાળી જ્ઞાતિના ભાવનગરના એક આદર્શ જૈન ગૃહસ્થ હતા. ત્યાંની શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી જૈન વિદ્યાશાળા અને સામાયિક શાળાને લેકપ્રિય બનાવવામાં તેમણે અગત્યને ભાગ ભજવ્યો હતો. શ્રી ફતેચંદભાઈને આ આદર્શ પિતા પાસેથી સંસ્કારને ભવ્ય વારસો મળે છે, જે માટે તેમને ભાગ્યશાળી માનવા જોઈએ. તે સાથે એ નોંધ પણ કરવી જોઈએ કે માતાનું સુખ તેમના નસીબમાં લખાએલું ન હતું. માતા ટબલબહેન તેમને માત્ર આઠ માસના મૂકી સ્વર્ગે સિધાવી ગયાં હતાં. એ વખતે શ્રી ફતેહચંદભાઈનાં દાદીમા પ્રેમબા જીવતાં હતાં. તેઓ નામ જેવા ગુણવાળાં હતાં. તેમણે શ્રી ફતેહગંદભાઈને ખૂબ મમતાથી ઉછેર્યા અને કદી માતાની ખોટ જણાવા દીધી નહીં. છ વર્ષની ઉંમરે શ્રી ફતેહચંદભાઈ સંતોકરામ માસ્તરની ધૂડી નિશાળે બેઠા અને ત્યાં આંક તથા પહેલી ચોપડી ભણ્યા. તે પછી પિરછલ્લાની દરબારી નિશાળમાં તેમણે એક વર્ષમાં બીજી અને ત્રીજી ચેપડીને સાથે અભ્યાસ કરી પિતાના વિદ્યાપ્રેમ, ખંત અને મહેનતુ સ્વભાવને પરિચય આપે. શ્રી ફતેચંદભાઈએ જ્ઞાનની પરબ સમી આ પાઠશાળાને (સામાયિક શાળાને) લેગ પામીને બાર વર્ષની ઉંમર સુધીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy