________________
પટલાલ જ વિકાસ
ટલાલભાઈની
અભિવાદનગ્રંથ ]
{ ૩૦૩ શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી
(જૂના ડીસાવાળા) * શ્રી પિપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧ ગુરુવાર તા. ૪-૬-૧૯૧૪ના શુભ દિને થયું હતું. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પિપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પઢી શરૂ કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેટી પિપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. ધંધાને ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતું. સં. ૧૯૭૫માં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારે પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની ઉંમરે ડીસાથી મુંબઈ આવી શેડો સમય કાપડના બિઝનેસમાં સર્વિસ કરી ટૂંક સમયમાં કાપડનો હેલસેલ વેપાર શરૂ કરેલ હતો. આજે બિઝનેસ તેમના સુપુત્ર સંભાળે છે અને તેઓ ધાર્મિક-સામાજિક કાર્યમાં સેવાઓ આપે છે. - તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પૂરું થઈ ગએલ છે. શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમ, પાલીતાણાના મંત્રી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય છે. છેલ્લાં પચીસ વર્ષથી હવે તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારે છે. મુંબઈની લહમીદાસ માર્કેટમાં મેસર્સ કે. ચંદ્રકાન્ત એન્ડ કું.ના નામથી છેલ્લાં બાવન વર્ષથી કાપડને વેપાર કરે છે. શ્રી પિપટલાલભાઈ છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત સામાયિક, નવકારમંત્રને જાપ, પ્રભુપૂજન આદિ ધર્મકિયામાં તત્પર રહે છે. શ્રી ભીલડિયાજી તીર્થને ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલીતાણાની મહારાષ્ટ્ર ભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ વર્ષ સુધી સેવા આપી છે. સને ૧૯૮૩માં એમણે ઘણા દેશની મુસાફરી કરી હતી. મુંબઈથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org