________________
૩૦૨ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો આમ ૮૩ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભેળવી તેઓ તા. ૨-૧૨-૮૧ના રોજ આપણાથી હંમેશને માટે ચિર વિદાય લઈ ગયા. જે સમાજની જૂની પેઢીને જાજ્વલ્યમાન સિતારા સરી ગયા, લાંબું આયુષ્ય પણ પુણ્યશાળીને મળે છે. જ્યાં દવા કામ નથી કરતી ત્યાં. દુઆ કામ કરે છે. અને તે જ તેમના દીર્ધાયુષ્યનું કારણ હતું. પાટણ અને ગુજરાતી સમાજના તેઓ થંભ હતા. તેમની ગેરગમાં સાધર્મિક ભક્તિ વણાયેલી હતી. આવા ગુણમૂર્તિ, સૌજન્યમૂર્તિ અને પુણ્યના ભંડારરૂપ પિપટકાકાને અમારાં કટિ કેટિ વંદન. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે.
એક મહાન વ્યક્તિ આપણી પાસે ઘણું મૂકી આપણે પાસેથી હસતે મોઢે વિદાય લઈ ગયા.
પાટણ જૈન મંડળ તરફથી જાયેલ એમની શોકસભામાં ૪૦ (ચાલીશ) ઉપરાંત સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાંથી ત્રીસ જેટલી સંસ્થાઓના તે તેઓ પ્રમુખ હતા કે મેનેજિંગ ટ્રસ્ટી હતા–ટૂંકામાં, પ્રાણસમાન હતા. તેમની યાદગીરી કાયમી રહે અને ઊગતી પેઢીને પ્રેરણાદાયક બની રહે તે માટે વાર્ષિક વ્યાખ્યાનમાળા જવા માટે તે જ સમયે તેમના કાયમી મારક માટે રૂ. સવા લાખ ભેગા થઈ ગયા હતા, જે સદ્ગતની જ્વલંત છાતિની ઝાંખી કરાવે છે.
લાંબે ટ્રકે જિંદગી ના મપાય; આવું જીવ્યું સાચું ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org