________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૦૧ ધાર્મિક કાર્યોમાં એમને સુમેળ અને સહકાર ખૂબ જ હતો. વેપારમાં ખોટ જાય તે ડરતા નહીં. તેઓ કહેતા, “કામ કામને શીખવે. નવું જાણવાનું તે મળ્યું.” ખૂબ જ સાહસિક હતા. મશીન ટુલ્સની જે અત્યારે પાંચ શાખાઓ છે તેમના આદ્ય સ્થાપક હતા.
એમના પરિવારમાં તેમના જેષ્ઠ પુત્ર શ્રી કીર્તિભાઈ જેઓ એક કુશળ વેપારી છે જ; પણ સાથે સાથે પિતાને ધાર્મિક સંસ્કારને વારસે તેમણે પણ દિપાવ્યું છે. ૨૮ તે અઠ્ઠાઈ મૌન કરી છે. અત્યારે તેઓ નવ્વાણું કરી રહ્યા છે. પાલીતાણામાં અત્યારે ત્રણ માસથી તપ કરે છે. આટલી નાની વયમાં આવી એમની તપશ્ચર્યા ખરેખર એક જૈન શ્રાવકને વિશેષ રૂપે શેભે તેવી છે. એમનાં ધર્મપત્ની અ.સૌ. ચંદ્રાબેન પણ ધાર્મિકતાથી રંગાયેલ છે તેમ જ પતિને પૂરતો સગ આપી રહ્યાં છે. પિપટકાકાના નાના દીકરા ચિ. શ્રી વીરેનભાઈ કે જેમને જોતાં જ આનંદ આવે એવી તેમની બલવાની છટા સામા વ્યક્તિ, મિત્ર કે વેપારી ઉપર કેઈ અનેરી છાપ પાડી જાય છે. શ્રી પોપટકાકા વિદ્યાથી વંચિત રહી ગયા છે તેથી એમના પરિવારને ખૂબ જ ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. એમને છે દીકરીઓ અને બે પુત્ર છે. શ્રી વીરેનભાઈ અમેરિકામાં ચાર વર્ષો સુધી અભ્યાસ કરી એંજિનિયરિંગ કોર્સ કરી બેચલર ઓફ સાયન્સ અને માસ્ટરની ઉપાધિ યુનિવર્સિટી ઓફ કેલીફોનિયા (બર્કલે)થી મેળવી છે અને બીજાં વધુ ચાર વર્ષો સુધી ત્યાં પ્રેકટીક્લ પ્રોફેશનલ એંજિનિયરિંગ અનુભવ મેળવ્યો અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટેશનમાં ફાયનેસની સ્પેશિયાલીટીથી ફસ્ટ. કલાસ પાસ થયા છે, જે આપણા બધા માટે ગૌરવ લેવા જેવું છે. હવે તેઓ ઇન્ડસ્ટ્રીઅલ સેવર્સ એન્ડ કેમિકલસ લિ. તેમ જ મશીન ટુલ્સ ટ્રેડર્સમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.
શ્રી પિપટકાકાની બન્ને દીકરીઓ ડોકટર થઈ છે અને બીજીઓએ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. શ્રી વીરેનભાઈનાં ધર્મપત્ની શ્રીમતી કલ્પનાબેન પણ સુશિક્ષિત તેમ જ ધાર્મિક સંસ્કારથી વિભૂષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org