SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૨૯૯ કરી, તે જોવાની, નીરખવાની અને જનતામાં “મહાવીર"ને જોવાની માનવસેવા તે “મહાવીર સેવા છે એવું સાચું સત્ય સમજી મરણીય યાદ આપે એવું તેમનું જીવન હતું. એમની જીવનસુવાસથી અનેકને પ્રેરણા મળે એવાં ઝળહળતાં કાર્યો કરી પિતાના પંથને સરળ બનાવ્યા હતા. રંગ લાતી હૈ હીના પથ્થરસે પિસ જાને કે બાદ' –આવી જ્યારે વિશેષ વ્યક્તિની યાદ સ્મૃતિપટ પર સદા જીવંત રહે છે, ત્યારે તેટલાં વિશેષ તેમનાં સુવાસિત કાર્યો યાદ આવે છે. સંસ્કાર છાના રહેતા નથી. વખત આવે દીપી ઊઠે છે અને ઘરને, સમાજને ઉજાળે છે. તે મુજબ પિતાના આત્મબળથી એક પછી એક માનવતાનાં સત્કાર્યો કરી પોતાનું જીવન દીપાવ્યું હતું. એટલું જ નહિ પણ શ્રીમતિ પ્રત્યે અંગુલીનિર્દેશ કર્યો છે – “દીધું હોય તે દેજો એ દાડે આબે રન રે. આવા ઉમદા દૈવી ગુણોથી સુવાસિત એમની જીવન-ઝરમર હતી, જે પળે પળે નવપલ્લવિત થઈ અનેક સુવાસિત પુખેથી પારંગત હતી. આવા સાચા માનવતાના કર્તવ્યથી એમણે એમના જીવનમાં વિવિધ રંગો પૂરી અનેરી ભાતવાળો ગાલીચો બિછાવ્યો છે, જેની સુવાસ ચારે બાજુ પ્રસરી છે. પાટણની જનતા હોસ્પિટલ કે જે તેમણે પોતાની માતા શ્રીમતી મતીબેન ભીખાચંદના મરણાર્થે બંધાવી હતી, તે પણ આજ એવી જગ્યાએ ઊભી છે, જ્યાં પાટણના તેમ જ આજુબાજુનાં ગામડાના લોકો પણ વિશેષ લાભ લઈ રહ્યાં છે; આ હોસ્પિટલ અદ્યતન સાધન ધરાવતી હોઈ અને ૬૫ (પાંસઠ) બેડની છે. તેમાં ઓપરેશન થિયેટર, મેટરનીટી તેમ જ કેન્સરને લગતી તેમ જ આંખને લગતી સારવાર પણ થાય છે. શરૂઆતમાં પ્રથમ જનતા દવાખાનું અને આજ આ વિશાળ વટવૃક્ષ જેવી હોસ્પિટલ દરદીઓને આશીર્વાદ સમાન બની છે. આ હોસ્પિટલના તેઓ પ્રમુખ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy