SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] || આપણા શ્રેષ્ઠીવર્યો ધર્મના માનવીઓ ઉદાહરણ લઈ શકે. સરળ વૃત્તિ અને સાદાઈનું જીવન જીવવાવાળા હતા. ધનની સાથે બિલકુલ નિરભિમાની હતા. ખૂબ શ્રીમંત હોવા છતાં પણ તેમની સાથે વાત કરીએ તે એક સામાન્ય માણસ જેવા લાગે. ઘાના શૌર જ રહ્યાના તેમને સિદ્ધાંત હતો અને હમેશાં સારું-ખોટું પિતે પચાવી શકતા. તેઓ ગણપતિ જેવા હતા. ગણોના અધિપતિ હતા. એમની પાસે વિવેક હતો. સારું રાખે, નરસું કાઢી નાંખે. પેટ એટલું વિશાળ હતું કે બધું સમાવી લેતા. એક કુટુંબીજન સમાન હતા. ક્યારેય શેઠ નહોતા કહેવરાવતા. દરેકને આત્મપ્રિય હતા. કેઈ તેમની પાસે સલાહ લેવા જાય તે તેમને થઈ જતો. તારું કેમ ચાલે છે? આવું પૂછી તેનું દુઃખ હળવું કરતા હતા. સૌને પિતાના લાગે. એક આત્મજ્ઞાની શ્રીમંત હતા. એક સેલ્ફ-મેઇડ મેન-પરફેકટ જેન્ટલમેન એન્ડ આઈડિયલ મેન તરીકે તેમના ઉમદા જીવનમાં ઘણા ગુણ જોવા મળે છે. તેઓ જૈન સમાજના સ્તંભ (પિલર) હતા. તેઓ મહા દાનવીર અને સન્નિષ્ઠ કાર્યકર હતા. મહાન ગુણી આત્મા હતા. તેમના સ્વભાવમાં ખૂબ જ વાત્સલ્ય હતું. તેમને મુખ્ય ગુણ હતો જિનભક્તિ. જીવની પાઈએ પાઈ પોતે સમાગે ખર્ચા છે. આખું જગત મારું છે અને મારાથી જે કંઈ બને તે કરી છૂટવું તેવી તેમની ભાવના હતી. જન્મીને તે સૌ મરે છે પણ મરીને ફરીથી જન્મ લે ન પડે તેની અતિ કાળજી રાખનારા હતા. આવા અનંત ગુણોવાળા તે જવલ્લે જ મળે. તેમના સ્વભાવમાં ખૂબ જ સરળતા તેમ જ વિકટ પરિસ્થિતિમાં ખૂબ જ મક્કમતા, ધૈર્ય ધરાવતા હતા. પુણ્યશાળી શ્રાવક તરીકે તેઓશ્રી એક સુંદર જીવન જીવી ગયા. તેઓ ૪૫૦ જેટલા યાત્રાળુઓનો સંઘ લઈ ગયા હતા ત્યારે સંઘ જે ગામડે જાય ત્યાં અનાજ અને કપડાં આપતા. ગરીબોની સેવા કરવાનું અનન્ય ભાથું સાથે લેતા ગયા. જીવનની સાર્થકતા શું છે? તેને અભ્યાસ પિતાના જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy