SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૨૯૭ બજાવી અને સમાજને પણ નિઃસ્વાર્થ પ્રેમ મેળવ્યું. જાહેર જીવનમાં કેઈ દિવસ સ્થાન લેવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી. શ્રી પિપટકાકાનું સમગ્ર જીવન તેમણે જૈન સમાજને સ્પર્શતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અપેલ સેવાઓથી સમૃદ્ધ અને ઉજજવળ હતું. પાટણ જૈન મંડળના અસ્તિત્વના છ દાયકામાંથી ચાર દાયકામાં પિતાને અનન્ય ફાળે આપે. પાટણને સમાજ કેવી રીતે ઉજજ્વળ બને તે જ તેમની ભાવના હતી. પાટણની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ તેમ જ સમાજ સાથે તાણાવાણાની જેમ ઓતપ્રેત થયા હતા. આજે પાટણ જૈન સમાજને તેઓને વિશ્વપિતા તરીકે યાદ આવે છે. સેવાના સંસ્કારથી સભર શ્રી પિપટલાલ ભીખાચંદ ઝવેરી શ્રી પાટણ જૈન મંડળના વર્ષો સુધી પ્રમુખ-ઉપપ્રમુખ–મેનેજિંગ ટ્રસ્ટી અને મેનેજિંગ કમિટીના આજીવન સભાસદ તરીકે અનેકવિધ સેવાઓ અને મંડળને તેમને સક્રિય સાથ અને સોગ આપતા હતા. મંડળનાં છાત્રાલય–બાલાશ્રમની પ્રવૃત્તિઓમાં અંગત રીતે સક્રિય રસ લઈને તેને પગભર બનાવવા માટેની તેમની જહેમત ખરેખર અવિસ્મરણીય છે, આ ઉપરાંત પાટણની અન્ય વિશિષ્ટ સંસ્થાઓ શ્રી પાટણ પાંજરાપોળ, શ્રી પાટણ જૈન પંચાયત ફંડ, મુંબઈની શ્રી વર્ધમાન કે. ઓ. બેંક; શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી આત્માનંદ જેન સભા, શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ, આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક પ્રવૃત્તિઓ ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. ઓલ ઇન્ડિયા જેન યુવક સંમેલન વગેરેમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. પાટણ પાંજરાપોળમાં બહુ જ સારો સહકાર આપતા. તેઓ હમેશાં કહેતા : પૈસા જોઈએ તેટલા લેજે પણ હેરેની સારવાર ખૂબ કરજે. ઢોરે અહીં મરવા માટે જ આવે છે પણ સારી રીતે મરે તેની કાળજી રાખજે. જીવદયા માટે ખૂબ જ ઉચ્ચ ભાવના ધરાવતા. તેમનો આત્મા એક ખૂબ જ ઉચ્ચ કોટીને હતે ઉમદા અને ઉદાહરણીય હતું, જેમાંથી માત્ર જેન જ નહીં પણ અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy