________________
ર૩૬ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો ભાગ્યશાળી આત્મા રવશ્રી પોપટલાલ ભીખાચંદ ઝવેરી
જન્મ અને મૃત્યુ એ સિક્કાની બે બાજુ છે અને તે બે વચ્ચેનું અંતર તેનું નામ જીવન. આ જીવનને જીવંત બનાવવા પ્રચંડ પુરુષાર્થ સાથે સાધના કરવી પડે છે. વ્યક્તિ સમાજ-ઘડતરને શિલ્પી છે. વ્યક્તિ જ સમાજને ફરજનું ભાન કરાવી શકે છે. વિચારસરણવાળા મુઠ્ઠીભર વ્યક્તિઓએ જ સમાજને માર્ગદર્શન કરાવ્યું છે. વ્યક્તિથી જ સમષ્ટિ અને રાષ્ટ્રનું નવનિર્માણ થાય છે. એટલે જ વ્યક્તિનું મહત્વ ઘણું જ છે. આવા જૈન સમાજના અગ્રગણ્ય તારક મહાનુભાવ સ્વ. પોપટલાલ ભીખાચંદ ઝવેરી એક આદર્શ જૈન વણિક હતા. સાવ સામાન્ય મધ્યમ વર્ગમાં જન્મેલા અને માતાપિતાનું સુખ નાનપણમાં જ ગુમાવ્યું હતું. તેઓ પોતાના નાન (ભા) સ્વ. ચુનીલાલ ખૂબચંદ પાસે મેટા થયા હતા. જૈન ધર્મના ઉચ્ચ સંસ્કારે તેમણે તેમની પાસેથી જ ગ્રહણ કર્યા હતા. ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો પણ કેટાજ્ઞાન ભારે હતું. આઠ આનાના રેજ ઉપર કમાવાની પ્રથમ શરૂઆત કરી; પણ પિતાની વેપારી કુનેહ, આવડત, ખંત અને પ્રમાણિકતા જેવા ઉમદા ગુણથી આગળ આવ્યા હતા. મતીને વેપાર ખૂબ વિકસાવ્યો હતે. એક જમાનામાં તેઓ “કિંગ ઓફ પર્સ” તરીકે પંકાયા હતા. મેતીના ધંધાર્થે લગભગ પંદરથી વધુ વાર જાપાન અને ઈ. સ. ૧૯૨૪માં અરબસ્તાન જઈ આવ્યા હતા પરંતુ જેન ધર્મને, તેના સિદ્ધાંતને ચુસ્ત રીતે વળગી રહી તેમ જ પિતાના આપબળે સાહસિકતાથી ધંધે વિસાવ્યું હતું.
સ્વ. પિપટકાકાનું મંતવ્ય હતું કે “માણસનું જીવન એવું સુવાસિત હોવું જોઈએ કે તેમાંથી બીજાને પ્રેરણું મળે, બીજાને પિતાની શક્તિને લાભ મળે.” “જૂનું તે સાચું અને નવું તે
ખરાબ” તેવું તેઓએ કઈ દિવસ માન્યું નથી. બંનેને સમન્વય પિતે જીવનમાં કર્યો હતે. જેનધર્મના ક્ષેત્રમાં ખૂબ ઊંડો રસ લઈ વ્યાપારક્ષેત્રમાં પણ યશ મેળવ્યો. પિતે માનવસેવામાં પવિત્ર ફરજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org