________________
અભિવાદનગ્રંથ ]
[ ર૯પ તા. ૧૦ માર્ચ ૧૯૮૮ ને શુક્રવારને દિવસ જ વાદળેથી છવાયેલો હતો. સવારના જ સ્નાન કરતી વખતે નોકરને કહ્યું કે આજે મારો છેલ્લો દિવસ છે. બપોરના ત્રણ વાગ્યાથી શ્વાસમાં તકલીફ વધી. ઘરમાં જ એકસીજન ઉપર રહ્યા છતાં આલેયણા વ્રત પરખાણું બધું જ લીધું અને છેલ્લે નવકારમંત્રના જાપ ચાલુ રહ્યા. છેલ્લી ઘડી સુધી સંપૂર્ણ ભાનમાં હતા અને ૯-૪પના આત્માએ દેહ ત્યાગે.
સમ્યદષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ,
અંતરસે ન્યારે રહે, જે ધાવ ખિલાવે બાળ. એ એમને મનગમતો દોહો હતો. અને તે પણ એ રીતે જીવન જીવ્યા. કર્મના સિદ્ધાંતને માનતા અને હંમેશાં કંઈ પણ કર્મમાં રાગ-દ્વેષ કે માન મળ્યાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા. જ્યારે પણ કોઈની સાથે મનદુઃખ થાય; ભલે પિતાને વાંક ન હોય તો પણ સામેથી જઈને ક્ષમા માગી આવતા. સિદ્ધાંતથી ભલે લોકેથી પર રહેતા પણ ક્યારે પણ હૃદયમાં કઈ કડવાશ રાખતા નહીં. હંમેશાં જે હોય તે સત્ય કહેતા. - સ્વાવલંબી, સહનશીલતા, સ્વાભિમાન, સંયમ, સાદગી, શ્રાવકપણું, સિદ્ધાંતવાદી, શીલ-સદાચાર; સદા હસમુખ, શાંત, સંતોષી, નિરભિમાની, નીડર—વગેરે એમના મુખ્ય ગુણો હતા.
નાગપુરના જૈન સમાજ – કચ્છી સમાજ અને ગુજરાતી સમાજ માંટે નહિ પણ નાગપુરના કોઈપણ માણસ માટે એ એક વટવૃક્ષ સમાન હતા. જે એમની પાસે આવતાં તેમને એમની શીતળ છાય મળતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org