________________
૨૯૪]
[ આપણા શ્રેષ્ઠીવર્યો માણસે સામેથી એમને હે આપવા તૈયાર રહેતા પણ એ કયારેય હોદ્દાને સ્વીકાર નહીં કરતા. છતાં શક્ય હોય તે રીતે તન-મન અને ધનથી સેવા કરતા. એમણે દાન પાછળ નામની લાલસા ક્યારે ય નહોતી રાખી. નાગપુરની અનેક સંસ્થાઓમાં માતબર રકમનું દાન આપ્યા છતાં ક્યારે પણ નામની ખેવના કરી નહીં.
એમની કાર્યપદ્ધતિ જ નિરાળી હતી. નાનામાં નાનું કામ ચીવટપૂર્વક અને જાતે જ કરતા. છેલ્લી ઘડી સુધી સ્વાવલંબી રહ્યા. કઈ દિવસ પિતાનું કામ બીજાને ચીધતા નહીં અને કઈ પણ કામ કરવામાં નાનપ રાખતા નહીં. નાગપુરમાં ગરીબથી કરી તવંતર એમનાં સલાહ-સૂચન અને મદદ માટે ગમે ત્યારે આવતાં અને સંતોષ સાથે પાછા ફરતાં. લેકની ભલાઈ માટે પિતાની જાત ઘસી નાખતા. જૈન સમાજની બેન એમને પુત્ર, પિતા કે ભાઈ સમજી પિતાની સમસ્યાઓ રજૂ કરતી અને હંમેશાં એનું નિરાકરણ મેળવતી. સ્ત્રીનું સન્માન અને આદર થે જ જોઈએ અને સ્ત્રીનું સ્થાન પણ સમાજમાં હોવું જોઈએ, એમ એ માનતા.
એ એક નીડર વ્યક્તિ છતાં અત્યાચાર સામે હમેશાં અવાજ ઉઠાવતા. કાયદા-કાનનની ખૂબ જ ઊંડી જાણકારી ધરાવતા એટલે સરકાર પણ જ્યારે બેટી રીતે કનડગત કરતી, વ્યાપારીઓ સામે કે બજી કઈ રીતે, તો તરત અવાજ ઉઠાવતા. એમની દિનચર્યા એટલે સવારના પાંચ વાગે ઊડી આસન-પ્રાણાયામ કરી આર. એસ. એસ.માં જવું; ત્યારપછી ઘેર આવી નિત્યક્રમ પતાવી સ્વાધ્યાય. ખાવાપીવામાં પણ અતિ સાદગી.
ઓગસ્ટ ૮૮માં એમનું નિદાન થયું કે એમને ફેફસાનું કેન્સર છે. છતાં પૂર્વેનાં કોઈ કર્મોને ઉદય થયું છે એમ સમજીને છેલ્લી ઘડી સુધી હસતાં હસતાં દર્દ સહન કર્યા. એલેપથીને હાથ ન લગાડતાં મૂત્ર-ચિકિત્સા અને ઘઉંના જવારા અને કુદરતી ઉપચાર કર્યા. એનાથી એમને ઘણું જ શાતા રહી. પિતાની બીમારી દરમ્યાન પણ છેલ્લા દિવસ સુધી સ્વાવલંબી રહ્યા. જેમ જેમ બીમારી વધતી ગઈ તેમ તેમ વધુ ને વધુ ધર્મમાં ઊંડા ઊતરતા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org