________________
અભિવાદનગ્રંથ !
[ ૨૯ પછી પ્રમુખ બની સંઘનું સુકાન ખૂબ જ વ્યવસ્થિત સંભાળીને સંઘની પ્રવૃત્તિઓને વિસ્તારી અખિલ ભારતીય સ્થાનકવાસી શ્રમણઆચાર્ય શ્રી આનંદઋષિ મ.સા.એ પુનામાં જાહેર વ્યાખ્યાનમાં કહેલું કે જે કેઈને સંઘના પ્રમુખ કે સંઘપતિ બનવું હોય તે નાગપુરના પ્રેમજીભાઈ પાસેથી બે મહિના ટ્રેનિંગ લઈ આવે. એવી જ રીતે નાગપુર અને વિદર્ભને કચ્છી વીસા ઓસવાલ સંઘના આધારસ્તંભ હતા અને જતાં જતાં નાગપુરના કચ્છી સમાજને વિશાળ કચ્છી ભવનનું નિર્માણ કરાવી આપ્યું.
નાગપુર ગુજરાતી કેળવણી મંડળમાં પણ એમનું અનુદાન ખૂબ જ મોટું છે. નાગપુર ચેમ્બર ઓફ કોમર્સ, નાગપુર ગ્રેઈન મરચન્ટ એસોસિયેશન જેવી સંસ્થાના એ સક્રિય કાર્યકર્તા હતા. નાગપુર નાગરિક સહકારી બેંકની સ્થાપના કરીને એ રીતે એનું સંચાલન કર્યું કે આજે આ બેંક નાગપુરમાં બીજો નંબરે આવે છે.
જૈન ધર્મના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાચા સિદ્ધાંત એમણે જીવનમાં ઉતારેલા. અપરિગ્રહ માટે એટલું જ કહેવાનું કે પિતાનાં જરૂર પૂરતાં જ ખાદીના કપડાં રાખતા. એમની પિન, ચશ્માં, ઘડિયાળ અને ઝભાનાં બટને વર્ષોથી એક જ રહ્યાં. છતાં લાખનાં દાન કરતા. જૈન ધર્મને બીજે સિદ્ધાંત અચૌર્ય. નાગપુર આખામાં સંભવતઃ એમની ફર્મ શાહ નાનજી નાગસી એક એવી ફર્મ છે કે લાખનો ટર્નઓવર હોવા છતાં એક પૈસાની પણ કરચોરી નહીં કરવી, અને એ માટે નાગપુર અને વિદર્ભમાં આ ફર્મ પ્રખ્યાત છે. એમના સ્વમુખે પ્રતિક્રમણ કે સ્તવને સાંભળવા એ પણ એક લ્હાવો હતે. ઉચ્ચાર હમેશાં શુદ્ધ અને અવાજ કર્ણપ્રિય હતે.
નાગપુરની લગભગ બધી જ સંસ્થાઓમાં પ્રત્યક્ષ અથવા પક્ષ એમને ફાળે રહેતો જ–છતાં હાથી તેઓ હમેશાં દૂર રહેતા. છે. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org