________________
૨૯ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો પ્રાણજીવનભાઈને પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જન કરેલા દ્રવ્યને શુભ માગે વ્યય કરવામાં તેઓશ્રી હંમેશાં સહાયરૂપ થયાં હતાં.
ગેડી જેન ટેમ્પલમાં ટ્રસ્ટી તરીકેની સેવા કરવામાં પચીશ વર્ષ પૂરાં થયાં. સાયનમાં પણ સેવા આપી. વડોદરામાં પણ સેવા આપી. સાવરકુંડલા જૈન વિદ્યાથીગૃહમાં ચેરમેન ૧૩ (તેર) વર્ષ રહ્યા અને ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી. તેમનાં પત્ની ૨૦૩૨માં સ્વર્ગવાસી થયાં. ધર્મપરાયણ હતાં. હિન્દુસ્તાનનાં બધાં તીર્થોની યાત્રા કરી ઉપધાન, વર્ષીતપ અને બીજી ઘણી તપશ્ચર્યા કરી. પાંચ દીકરા અને ચાર દીકરી બધાને સંસાર ખૂબ જ સુખી છે.
શ્રી પ્રેમજીભાઈ નાગસી શાહ પ્રેમજી પ્રેમથી સર્વે ને જીતનાર એક બહુ પ્રતિભા ધરાવતી વ્યક્તિ ભારતના મધ્યમાં આવેલ નાગપુર શહેરમાં એક જીવતી-જાગતી સંસ્થા હતી. ધનતેરસના દિવસે માતા હીરબાઈની કુક્ષિએ જન્મ લીધો. પિતા નાગસીભાઈ અને માતાનાં ધાર્મિક સંસ્કારનાં બીજ નાનપણથી જ એમનામાં રોપાયાં.
મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના લાખાપર ગામના રહેવાસી. એ જમાનામાં કચ્છીઓમાં શિક્ષણનું પ્રમાણ બહુ જ ઓછું હતું. એમના મોટાભાઈ નાનજીભાઈ કચ્છી સમાજના સૌ પ્રથમ ઇજનેર બન્યા અને એમણે એલએલ.બી. કર્યું. અભ્યાસની સાથે સાથે પિતાના અનાજના વ્યાપારમાં જોડાયા અને એમની ફર્મ શાહ નાનજી નાગસીને એટલી આગળ વધારી કે મધ્ય ભારતમાં અને સ્થાન પામી.
આર. એસ. એસ. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પણ એક મૂક પણ મુખ્ય કાર્યકર્તા હતા છતાં પણ રાજનીતિ અને કોમવાદથી પર રહ્યા પણ આર. એસ. એસ.ના સાચા ગુણે એમનામાં રહ્યા.
નાગપુરના વર્ધમાન જૈન શ્રાવક સંઘના પહેલા મંત્રી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org