SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ રહેલ લાખને લાડીલે પ્રાણ તું ભલે ચાલ્યો છોડી સાથ જગને; લખી ગયે નામ તારું ચિરંજીવ, સદા રહેશે અમે તેના પ્રાણમાં. મેહ નહીં એવો રહ્યો સદાય તું અમ સૌને પ્રાણપ્યારે મેહન; હસ્તી ભલે નથી રહી તારી, પ્રાણ તું સદાય રહેશે અમ નયન. ન જોયા રાત ને દિવસ સેવા કરી તે સૌની પ્રાણથી આખું જીવન; લાખ કોટી કરી વંદના તને કરું છું પ્રાણ તું રહેશે સદા સનાતન. લગનથી રેડી પ્રાણ તારા ખીલવી ગયે ઉપવન બની સુંદર સુમન; વહાલ કરી સૌને પ્રાણ મૂકી સૌમાં પૂરું કર્યું તે તારું આદર્શ જીવન. ડાકિય બની પ્રેમ અને સનેહ સાથે ધન વહેંચી બળે સૌને પ્રાણજીવન, લિપ્સા કરી રાખ્યા વગર પ્રાણથી કાર્યો કરતે રહ્યો તું સદા ગહન; યાર તું છે ને પ્રાણ અમર રહેશે નામ તારું એમ કહે નિરંજન. શેઠશ્રી પ્રાણજીવનદાસ રામચંદ દોશી શેઠશ્રી પ્રાણજીવનભાઈને જન્મ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા ગામે તા. ૩૦-૭-૧૧ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી શેઠશ્રી રામચંદભાઈ દોશી ધાર્મિક વૃત્તિના હતા. તેમનાં માતુશ્રી લાડકીબાઈ પણ ખૂબ ધાર્મિક ભાવનાવાળાં હતાં અને તેમના નામથી એક ધાર્મિક પાઠશાળા સાવરકુંડલામાં ચાલે છે. આ રીતે શ્રી પ્રાણજીવનભાઈને ઉચ્ચ ધાર્મિક સંસ્કારે તેમનાં માતા-પિતા પાસેથી મળ્યા હતા. શ્રી પ્રાણજીવનભાઈ એક સામાન્ય સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિએ આવ્યા છે. સાત વર્ષ સુધી મુંબઈમાં નોકરી કર્યા બાદ એક વખત પરમ પૂજ્ય સિદ્ધિસૂરિદાદા (બાપજી) પાસે વાંદવા ગયા હતા ત્યારે બાપજીએ કહ્યું કે તારી ફિકર ભગવાનને છે. તું નોકરી છોડી દે અને સ્વતંત્ર ધંધો શરૂ કર. એટલે તેમણે શ્રી કાંતિલાલ પ્રાણજીવનદાસ દેશીના નામની કરિયાણું–કમિશનની સં. ૧૯૯૬માં પેઢી શરૂ કરી ત્યાર પછી તેમની આર્થિક સ્થિતિમાં પલટો આવ્યો અને તેઓ દિન-પ્રતિદિન સમૃદ્ધિ મેળવતા ગયા. શ્રી પ્રાણજીવનદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી રંભાબેન શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy