SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો થિતિનાં કુટુંબને ઉપયોગી થવામાં આનંદ અનુભવતા અને સારામાઠા પ્રસંગે ખડે પગે ઊભા રહી કામ કરી આપતા હતા. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, નવા ધંધાથીને વ્યવસાયની સુલભતા કરી લાખની રકમનું રોકાણ કરતા અને પગભર કરવાને સંતોષ મેળવતા હતા. અમરેલી જૈન વિદ્યાર્થીગૃહનું પિતાના પર ભારે બાણ છે, એમ માની આ સંસ્થાની નવરચનામાં શ્રી પ્રાણલાલભાઈએ અમૂલ્ય ફાળે. આપેલ અને સંસ્થાના માનદ મંત્રી તરીકે છેલ્લાં તેર વર્ષથી સેવા અપી રહ્યા હતા. બેખે આયન મરચન્ટ એસોસિયેશનના સને ૧૯૭૩થી ત્રણ વર્ષ ડાયરેકટર રહ્યા હતા. શ્રી પ્રાણલાલભાઈ ઘારી જ્ઞાતિએ બે વરસ અગાઉ સ્થાપેલ ન્યાયપંચના સક્રિય સભ્ય હતા. તેઓશ્રી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સહાયક ટ્રસ્ટની કારોબારીના સભ્ય હતા. શ્રી પ્રાણલાલભાઈમાં સમાજના વિકાસ માટે ખૂબ ધગશ હતી અને સમાજને ગૂંગળાવી નાખનાર તને સામને કરવાની તેમનામાં કુનેહ હતી. શ્રી વડાલિયાએ જિંદગીની શિલાને ધીરજ, ખંત, નિષ્ઠા અને શ્રદ્ધારૂપી વિવિધ હડીઓ અને ટાંકણથી ઢંકારીને પોતાના જીવનને જીવંત શિલ્પકૃતિ બનાવી. હર હાલતમાં ખુશખુશાલ રહીને જિંદગીને ખુબેદાર બનાવી નાની ઉંમરે આપણે સૌ વચ્ચેથી વિદાય લીધી. છે. ઘોઘારી જૈન સમાજે એક રત્ન ગુમાવેલ છે. સગાં-સ્નેહીઓએ વડલાને ગુમાવ્યો છે પણ તેમના ધર્મપત્ની નિર્મળાબેન, પુત્ર કેતન તથા પુત્રી અલકા અને ભાઈઓ વિનુભાઈ પ્રતાપભાઈ વગેરેએ જે ગુમાવેલ છે તે ખોટ પુરાય તેમ નથી. ૫૧ વર્ષની વયે તા. ૫-૬-૮૪ના રોજ તેમને સ્વર્ગવાસ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત-મહારાષ્ટ્રની સંખ્યાબંધ સંસ્થાઓએ રડતા હૈયે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમાંથી કાવ્યના રૂપમાં એક શ્રદ્ધાંજલી જોઈએ... પ્રાણલાલ ભલે ના રહ્યા નશ્વરદેહ તારે આ જગમાં; ણ ભલે ના રહ્યો કોઈને પ્રાણ રહ્યો તે સર્વના દિલમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy