________________
અભિવાદનગ્રંથ !
[ ૨૧ એકલે હાથે “કેશ”ની રચના કરી. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ કરણ ઘેલો' નામે પહેલી ગુજરાતી નવલકથા પ્રકાશિત કરી. ૧૮૪રમાં દુર્ગારામ મહેતાએ પહેલું છાપખાનું કાઢયું. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ અને શારદાબહેન મહેતા ૧૯૦૧માં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થયાં. ૧૯૦૩માં મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નાનાભાઈ હરિદાસ અને વડા ન્યાયમૂતિ તરીકે બદરૂદ્દીન તૈયબજીની નિયુક્તિ થઈ. ૧૮૯૧માં દાદાભાઈ નવરોજી બ્રિટિશ સંસદના સભ્ય બન્યા. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ, ગુજરાતમહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મોરારજીભાઈ દેસાઈ મહિલા પ્રધાન ઇન્દુમતી ચી. શેઠ, મહિલા મેયર મુંબઈનાં સુચના મેદી, મહિલા વિમાની રોશન મહેબતખાન પઠાણ, મહિલા કોસ્ટ એકાઉન્ટર દર્શના હરિભાઈ પટેલ આદિનાં નામે ખૂબ ગૌરવથી લઈ શકાય. જ્યારે ભારતીય ભાષાઓમાં પણ ગૌરવભર્યું સ્થાન પામી શકે તેવી મહાનવલ “સરસ્વતીચંદ્ર” લખનાર ગોવર્ધનરામ ત્રિપાઠી, પ્રથમ મિલ શરૂ કરનાર રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા, સર્વોચ્ચ
ન્યાયમૂતિઓ હરિલાલ જે. કણિયા અને એમ. સી. ચાગલા સમી વિભૂતિઓ પણ ભૂલી ભૂલાય નહીં.
* “મિલટરી કેસ” મેળવનાર પ્રથમ હિન્દી : કર્નલ જોરાવરસિંહજી ગોહિલ–ભાવનગર રાજ્યના ભાયાત અને હિન્દી લશ્કરના અધિકારી કર્નલ જોરાવરસિંહ ગોહિલે પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૪ થી ૧૯૧૭ સુધી મેસેપિટેમિયા અને ઇજિપ્તની લડાઈમાં અંગ્રેજો વતી લડીને વિજ્ય મેળવ્યું અને “મિલટરી કેસ” મેળવ્યું. હિન્દી લશ્કરી કમિશનના સભ્ય બનવાનું બહુમાન મેળવ્યું. પાંચમા જ્યના રાજ્યારોહણ વખતે લંડન લાવવામાં આવ્યા હતા.
* ગુજરાત વિધાનસભાના સભ્યોમાં પહેલા પદ્મશ્રી’: ઉપેન્દ્ર ત્રિવેદી-ગુજરાતી રંગભૂમિના અભિનયસમ્રાટ, અનેક યશસ્વી નાટકના સફળ દિગ્દર્શક અને અભિનેતા, ગુજરાતી ચલચિત્રોના લોકલાડીલા કલાકાર અને ગુજરાતી ચલચિત્ર વિકાસ નિગમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org