________________
અભિવાદનગ્રંથ !
[ ર૮૭ આપ્યા કર્યું. એ અરસામાં જ પિતાની સત્તર વર્ષની ઉંમરે માતુશ્રી સ્વર્ગવાસી બન્યાં તેથી કરીને ફરજિયાત લગ્ન કરવા પડ્યા અને શ્રીમતી વસુમતીબહેને ઘરના ઉંબરમાં પગ મૂકતાં જ ઘરને દિપાવ્યું. ઘરની બધી જ જવાબદારી નિષ્ઠા અને પ્રેમપૂર્વક વહન કરવા લાગ્યાં. વ્યવહારિક પ્રસંગોમાં પણ તેમની ચતુરાઈનાં દર્શન થયાં. ધંધાદારી પ્રગતિનાં એક પછી એક પાન ચડતા ગયા. કૌટુંબિક પ્રશ્નોને પિતાની સૂઝ સમજ અને આવડતથી હલ કરતાં રહ્યાં. તેમની આયેાજન શક્તિ અને દીર્ઘદૃષ્ટિએ જીવન-વ્યવહારના મોટા ભાગના પ્રશ્નો સહજતાથી ઉકેલવામાં શ્રી પ્રભુદાસભાઈને હંમેશાં મદદરૂપ થતાં રહ્યા છે. કુટુંબ-સમાજ અને જ્ઞાતિબંધુઓને સહાયરૂપ બનવાની તેમની પ્રબળ ભાવનાના અંકુરો નાની ઉંમરથી જ પ્રગટ્યા હતા. મઘમઘતી સુવાર
સૌના–વિશાળ પરિવારના સન્માનિત બન્યા. વ્યવસાયના વિશાળ પટ ઉપર પિતાની શક્તિ અને પ્રતિભાને પૂરો પરિચય આપે તે પહેલાં જ માત્ર ૩૮ વર્ષની ભરયુવાન થયે વિધાતાએ તેમને તા. ૯-૩-૮૫ના દિવસે આ જગતમાંથી કાયમને માટે ઊંચકી લીધા. ત્રણ પુત્રો ધર્મેશ, દીપક અને નીરવને મૂકીને ચિતા આ ફાની દુનિયા છેડી પિતે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા અને સંસારમાં સુગધ પ્રસરાવતા ગયા. જીવન જીવી જાણ્યું
સગતશ્રી ખૂબ જ ધર્મિષ્ઠ હતા તેથી પ્રેરાઈને જ તેમના પરિવારે ગયે વર્ષે શ્રી ભાયણ તીર્થમાં એલી કરાવવાનો આદેશ લીધેલ. પણ વિધિની વિચિત્રતા કાંઈક જુદી હશે. ઓળીના થોડા દિવસો અગાઉ જ શ્રી પ્રતાપરાયભાઈ સ્વર્ગવાસી બન્યા અને આખેયે પરિવાર આઘાત અને શોકમગ્ન બની ગયે.
ધર્મ વિનાનું જીવન એ વાસ્તવિક જીવન નથી. તેથી જ તેમના પરિવારને આ વરસે શ્રી પ્રતાપરાયભાઈને આત્મશ્રેયાથે કાવીતીર્થમાં ઓળી કરાવવાની ભાવના જાગી. શાસન-પ્રભાવક પ. પૂ. આ. ભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org