________________
૨૮૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી તથા અન્ય સાધુ ભગવંતાની પ્રેરક નિશ્રામાં એળીનું આયેાજન સફળ બન્યું. શ્રી પ્રતાપરાયભાઈ એ ખરેખર દુ`ભ માનવ જીવનને જીવી જાણ્યુ'.
કુટુંબના વડીલ શ્રી પ્રભુદાસભાઈ, બહેના કાન્તાબહેન, સુભદ્રાબહેન, મમતાબહેન, ભાઈ એ અને પાતાનાં બાળકોને ઊંડા દુઃખમાં ધકેલી યુવાન પેઢીને દીવાદાંડી સમુ જીવન ખતાવી ગયા. એ પુરુષાર્થીના પ્રતીકસમા પુણ્યાત્માને અમારી લાખ લાખ વંદના. તેમના આત્માને પ્રભુ ચિર શાંતિ પ્રદાન કરે તેવી અભ્યના
શ્રી પ્રવીણચંદ્ર રતીલાલ શાહ
અમરેલીના વતની શ્રી પ્રવીણચંદ્ર રતીલાલ શાહુના જન્મ તા. ૨૮-૧૧-૧૯૩૭ના રાજ થયા. અભ્યાસકાળથી જ તેજસ્વી પ્રતિભા ધરાવતા શ્રી પ્રવીણભાઈ તબીબીક્ષેત્રે જી. એફ. એ. એમ; એલ.એમ.પી., ડી.કે.પી., તથા એમ.બી.,બી.એસ.ની ઉપાધિઓ ધરાવે છે. હજુયે તેમને પેાતાના ક્ષેત્રના આગળ અભ્યાસ કરવાની તમન્ના છે.
માત્ર ૨૪ વર્ષની યુવાન વયે ૧૯૬૧માં પ્રથમ દવાખાનુ ખેાલી તબીબીક્ષેત્રે પદ્માણ કરી માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં જ લેાકચાહના મેળવી ૧૯૬૭માં બીજુ દવાખાનુ શરૂ કર્યુ. ૧૯૭૨થી તેઓશ્રી હૉસ્પિટલમાં પાતાની સેવા આપી રહેલ છે.
રુગ્ણાલયમાં દરદીઓની સેવામાં વ્યસ્ત રહેવા છતાં અભ્યાસવૃત્તિને લીધે પોતે તે ક્ષેત્રમાં પણ સિદ્ધિએ મેળવી શકથા છે, તેઓએ જનરલ પ્રેક્ટીશનસ કોન્ફરન્સમાં “ સાયન્ટીફીક સેશન ’”માં પ્રથમ ઈનામ, · કિલનિકલ સેશન ”માં દ્વિતીય ઈનામ તથા એમ્બે મેડિકલ કેાંગ્રેસ તરફથી ‘ જનરલ પ્રેક્ટીશનર્સ કેટેગરી'માં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરી એક અભ્યાસુ ડોકટર તરીકેની નામના મેળવી. આ ઉપરાંત કુટુ બનિયેાજનક્ષેત્રે પણ ગણનાપાત્ર કામગીરી બજાવી છે. પેાતાના વ્યવસાયમાં અવિરતપણે વ્યસ્ત રહેવા છતાં કેળવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org