________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૮૫ મુખ્ય પાન જે કઈ પણ હોય તે તે ધંધાની પ્રમાણિકતા છે. તે સાથે વિશેષ જનસંપર્ક, સરળતા, સૌજન્ય અને સેવાભાવના પણ સફળતા માટેનાં પાને છે, જે સર્વ શ્રી પ્રભુદાસભાઈના જીવનમાં જોવા મળે છે.
માત્ર લક્ષ્મી પ્રાપ્ત કરી લેવામાં જ જીવન ધન્ય નથી બની જતું પણ એ લક્ષ્મીને સુકૃમાં સદુપયેગ થાય તે જ જીવન ધન્ય બને છે, એ વિચારે શ્રી પ્રભુદાસભાઈએ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે યથાશક્તિ સારો લાભ લીધો છે. ભદ્રાવળમાં જૈન દેરાસરજીમાં ભ. શાન્તિનાથજીની પ્રતિષ્ઠા, તળાજા તીર્થમાં ભ. પદ્મપ્રભુજીની સ્થાપના કરી તેમ જ ચાલુ સાલે એક દેરીમાં ભ. શ્રી પાર્શ્વનાથજી અને બે બીજા પ્રભુજીની પ્રતિષ્ઠાને લાભ લીધે. ભદ્રાવળમાં તેમનાં ધર્મપત્ની સ્વ. ચંપાબેનના શ્રેયાર્થે સ્વ. ચંપાબેન જૈન ઉપાશ્રય કરાવ્યો. નાનાંમોટાં ધાર્મિક પૂજને વિના લાભ લીધેલ છે. શૈક્ષણિક ક્ષેત્રે ઝઘડિયા ગુરુકુળ, તળાજા કન્યા વિદ્યાલય, મહાવીર વિદ્યાલય. વિ.મા કેલર જનાનો લાભ લીધા. પાલીતાણા આયંબીલ ભુવન, કેસરિયાજી ધર્મશાળા વિ.માં પણ સદ્વ્યય કરેલ છે. સેવાના ક્ષેત્રે કેટ શાતિનાથ જૈન દેરાસરજીની કમિટીના સભ્યપદે રહી સેવા આપે છે.
શ્રી પ્રભુદાસભાઈ વ્યવહારકુશળતા, નિખાલસતા, સાદાઈ, વિનમ્રતા અને સરળતા આદિ સદ્ગુણોથી બહેળું સનેહીમંડળ અને શુભેચ્છકેને મોટો સમુદાય ધરાવે છે, જે આદરપાત્ર છે.
શ્રી પ્રભુદાસભાઈ આત્મકલ્યાણ અર્થે ધર્મ–ભક્તિ અર્થે તેમ જ સમાજ-ઉત્કર્ષ અર્થે દીર્ધાયુ હે; સુયશ માગીએ એ જ શુભકામના વ્યક્ત કરતાં આનંદ અનુભવીએ છીએ.
સ્વ. શ્રી પ્રતાપરાય પ્રભુદાસ ગાંધી પ્રબળ સાહસ અને પુરુષાર્થપણાને પ્રભાવ માનવ-સમાજજીવનના વિવિધ સ્તરે અને ક્ષેત્રે હમેશાં અમર અને ચિરંજીવી બની રહેતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org