SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી પ્રભુદાસભાઈ મોહનલાલ ગાંધી વ્યાપારે વસતિ લક્ષ્મી” આ સૂત્રને સમજીને જીવનમાં ઉતારનારા અને વ્યાપારી ક્ષેત્રે વૈર્ય, સાહસ અને પુરુષાર્થ દ્વારા આ સૂત્રને યથાર્થ પુરવાર કરનારાઓમાંના શ્રી પ્રભુદાસભાઈને જન્મ મૂળ વતન ભદ્રાવળમાં સંવત ૧૯૭ન્ના અષાઢ વદિ ૭ના રોજ થયો હતો. આખુંયે કુટુંબ ધર્મના રંગથી રંગાયેલું હોઈ બાલ્યવયે જ ધર્મના સંસ્કાર અને દેવ-ગુરુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી શ્રી પ્રભુદાસભાઈ રંગાયેલા રહ્યા છે. યથા નામ તથા ગુણા. શ્રી પ્રભુદાસભાઈએ પ્રાથમિક અભ્યાસ ભદ્રાવળમાં રહીને કર્યો. નાની વયમાં પરદેશ ખેડવાના મારથથી ફક્ત ૧૩ વર્ષની નાની ઉંમરે મુંબઈ ભાગ્ય અજમાવવા આવ્યા. ભણતર કરતાં ગણતરની માત્રા વધુ, એ સાથે પ્રારબ્ધની પ્રધાનતા છતાં પુરુષાર્થને મહિમા જરા પણ ઓછો નથી. આવી દઢ માન્યતા ઉપર જ શરૂઆત મુલ્તાની ડેરી ફાર્મમાં નેકરીથી કરી અને નિષ્ઠાપૂર્વકની કામગીરીથી તેમ જ પ્રબળ પુરુષાર્થ અને આવડતથી માત્ર ચાર વરસ બાદ એ જ મુલતાની ડેરીની માલિકી મેળવી અને ધંધાને વિસ્તાર્યો—જે આજે મુંબઈની બે દુકાને ઉપરાંત સાન્તાક્રુઝ અને મલાડ વિગેરે પરાઓમાં શાખાઓ ચાલુ છે. છેલ્લાં થોડાં વરમાં તદ્દન સામાન્ય સંજોગોમાંથી આપબળે શુન્યમાંથી સર્જન કરનારા આપણું ઘોઘારી સમાજના કેટલાય સાહસિકે શ્રદ્ધા અને શ્રમ વડે આગળ વધ્યાના દાખલાઓ આપણી સમક્ષ છે તેમાંના ભાઈશ્રી પ્રભુદાસભાઈ છે. દૂધ અને દૂધની બનાવટના વ્યવસાયમાં આજે તેઓના મુલ્લાની ડેરી ફાર્મ, જૈન દુગ્ધાલય, મને જ આઈસક્રીમ વગેરે નામે સુવિખ્યાત અને લોકપ્રિય છે, એટલું જ નહીં પણ પ્રતિષ્ઠા સંપન્ન છે. વ્યાપારી ક્ષેત્રે માનવીના જીવનની ઉન્નતિ અને પ્રગતિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy