SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ ] { આપણું શ્રેષ્ઠીવર્યો એન્જિનિયર) થયા છે. સૌથી નાના પુત્ર ચિ. ગૌમતભાઈ અત્યારે મુંબઈમાં જ ઈનટર કેમર્સને અભ્યાસ કરે છે. તેમનાં પુત્રી રંજનબેન ગ્રેજ્યુએટ છે અને તેના લગ્ન આ સભાના પેટ્રન શ્રી પિપટલાલ નરશીભાઈ પદાના સુપુત્ર શ્રી પ્રવીણભાઈ સાથે થયા છે. આ પ્રવીણભાઈ પણ અમેરિકા જઈ એમ. એસ. થઈ આવેલા છે. શ્રી પ્રવીણચંદ્રભાઈએ ધંધાક્ષેત્રે જેવી સફળતા પ્રાપ્ત કરી છે તેવી જ સફળતા તેમણે સેવાક્ષેત્રે પણ પ્રાપ્ત કરી છે. મહારાષ્ટ્ર સરકારે તેમની સેવાની કદર કરી આજથી ત્રણેક વર્ષ પહેલાં જે. પી.ની પદવી એનાયત કરી હતી–જે પ્રસંગે જૈન સમાજ તરફથી તાલધ્વજ હોલ, મુંબઈમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. હવે જે. પી.ને બદલે તેઓ પેશ્યલ એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. - ધંધાની સાથોસાથ તેઓ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પિતાની સેવાને ફળ આપે છે. શ્રી યશવૃદ્ધિ જૈન બાળાશ્રમ, મહુવા તેમ જ માટુંગા જેન વેતાંબર મૂર્તિપૂજક સંઘના તેઓ ટ્રસ્ટી છે. મહુવા યુવક સમાજના તેઓ પ્રમુખ છે. સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ, મુંબઈને તેઓએ ટ્રેઝરર તરીકે પિતાની સેવા આપી છે અને હાલમાં આ સંસ્થાને એક સભ્ય તરીકે સેવા આપે છે. મહુવા જૈન મંડળના પણ તેઓ મંત્રી છે તેમ જ માટુંગા ઘોઘારી જૈન મિત્રમંડળના ઉપપ્રમુખ છે. આમ વિવિધ ક્ષેત્રે તેમ જ અનેક વેપારી એસોસિયેશનમાં તેઓ પિતાની સેવા આપે છે. બોટાદ વિદ્યાર્થીગૃહમાં તેમના વતી એક સ્કોલર ભણી શકે તેવી પણ વ્યવસ્થા તેમના તરફથી થયેલી છે. આ રીતે આપણા સમાજની શોભારૂપ અને ધર્મનિષ્ઠ શ્રી પ્રવીણચંદ્રભાઈ જેવા સેવાભાવીના હાથે અનેક શુભ કાર્યો થાય એવી શુભ મનોકામના સેવીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy