________________
અભિવાદનાથ ]
[ ૨૯૭ વર્ષની વયે તેમણે પિતાને સ્વતંત્ર ધ ઈ. સ. ૧૯૪૮માં મેસર્સ શાહ પટેલ એન્ડ કંપનીના નામથી શરૂ કર્યો. આ ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી, તેમના વ્યવસાયમાં એક આગેવાન વેપારી તરીકે ઉચ્ચ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. મેસર્સ શાહ એન્ડ કંપની મુખ્યત્વે સીમલેસ પાઈપસ અને ફિટિંગ્સ, સ્ટેનલેસ સ્ટીલ પાઈસ અને ફિટિંગ્સ, બેલ બેરિંગ્ઝ, શાટિંગ્સ પુલીઝ તેમ જ લોખંડનું કામ કરે છે.
પિતાના ધંધાના વિકાસ અથે શ્રી પ્રવીણચંદ્રભાઈ તેમનાં સુશીલ પત્ની, પુત્રી ચિ. રંજન તેમ જ ભત્રીજી ચિ. આશા સાથે અમેરિકા તેમ જ કેનેડાની મુસાફરી કરી આવ્યા છે.
ઓગણીસ વર્ષની વયે તેમના લગ્ન ઈ. સ. ૧૯૩૯માં મહુવાના સુપ્રસિદ્ધ જૈન શ્રેષ્ઠી શ્રી હિરાચંદ દુલભદાસનાં સુપુત્રી શ્રી વેણીબેન સાથે થયા. બંને કુટુંબે મહુવામાં બહુ જ જાણતાં અને સંસ્કારી એટલે આ લગ્ન સોનામાં સુગંધ મળવા જેવું થયું. શ્રી વેણીબેન પણ અત્યંત સંસ્કારી અને માયાળુ છે અને તેમના આતિથ્યસત્કાર માટે અત્યંત પ્રસિદ્ધ છે. જીવનમાં કેઈપણ માનવીને માત્ર પિતાના પુરુષાર્થથી સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. સફળતા માટે પુરુષાર્થ કરતાં પત્નીનું ભાગ્ય સવિશેષ કામ કરતું હોય છે. તેથી જ આપણું ઋષિમુનિઓએ સ્ત્રીને લક્ષ્મીની ઉપમા આપેલ છે અને નવું આગંતુક બાળક જે પુત્રી હોય તે તેને લક્ષ્મીજી પધાર્યા એમ કહેવાય છે. આ વેણુબહેનમાં ધર્મના ઊંડા સંસ્કાર છે અને તેમની રીતભાતે શ્વસુર અને પિયરનાં કુટુંબને દીપાવ્યાં છે. દાંપત્યજીવનના ફળરૂપે શ્રી પ્રવીણચંદ્રભાઈને ત્રણ સુપુત્ર અને એક સુપુત્રીની પ્રાપ્તિ થઈ છે. આખું કુટુંબ સંસ્કારી અને કેળવાયેલું હેઈ, માતાપિતાએ પિતાનાં સંતાનને ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારને વારસો આપેલો છે. મેટા પુત્ર શ્રી કિરીટભાઈ અમેરિકા જઈ એમ. એસ. થઈ આવેલા છે. તેઓ ઈન્ડસ્ટ્રીઅલ એન્જિનિયર છે અને થોડા સમય પહેલાં જ તેમના લગ્ન થઈ ગયા છે. તેમના બીજા પુત્ર શ્રી નરેશભાઈ અમેરિકામાં છે. તેઓ પણ એમ. એસ. (સ્ટ્રકચરલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org