________________
અભિવાદનાથ ]
[ ર૭પ અને દેવ-ગુરુ-ધર્મના આશીર્વાદનું જ ફળ છે એમ સમજે છે. જનસમાજમાંથી જાણવા પ્રમાણે તેમના સ્વ. પિતાશ્રી પ્રેમજીભાઈ અરે જ નિરભિમાની, જૈન ધર્મના ઊંડા અભ્યાસી, ધાર્મિક વૃત્તિવાળા, જેનશાસન પ્રત્યે અવિચળ શ્રદ્ધાવાળા તેમ જ સંપૂર્ણ સાદું જીવન, પરોપકારવૃત્તિ એ તેમના લેહીના વિશિષ્ટ ગુણે હતા. વતનની પણ નાનીમેટી જેન અને જૈનેતર સંસ્થાઓને હૂંફ આપતા. તે પ્રમાણે શ્રી પ્રતાપરાય પણ યથાશક્તિ સંસ્થાઓને હૂંફ આપે છે. આ બધાં કાર્યોમાં સવ. માતુશ્રી કંકુબેન, તેમનાં ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન અને પુત્ર ચિ. જસ્મીનભાઈ તથા અ.સૌ. ભવ્યાબેનને પણ હિસ્સે નાનસૂને નથી. નાના પુત્ર ચિ. ભાવેશભાઈ પણ નાની વયમાં ઈલેકટ્રોનિકસ લાઈનમાં રસ લઈ રહ્યા છે. અ.સૌ. ભવ્યાબેન પણ સમાજનાં નાનાંમોટાં કાર્યો કર્યા કરે છે. બે પુત્રીઓ ડો. કૌમુદીબેન તેમ જ દર્શનાબેનનાં લગ્ન પણ સારા ઠેકાણે કરેલાં છે. બાકીની પુત્રીઓ પણ બધી ઘણું જ સારી ડિગ્રીઓ મેળવી અભ્યાસમાં છે. બેન ચારુ બી.એસસી. તેમ જ આ આખું ય કુટુંબ સુખી અને સંતોષી છે. જ્યોતિ બી.કેમ., એમ.બી.એ. કેપ્યુટરને અભ્યાસ કરે છે. તેમનું બહોળું કુટુંબ પણ મુંબઈમાં જ બધા છે. દેશમાં પણ પિતાના ખેતરે ખેડૂત જેવું જીવન માણવા ઇચ્છે છે. દેશમાંથી આવેલ કેઈપણ વ્યક્તિ તેમને મળવાની અને દેશની ખબર અંતર પૂછવાની ઈચ્છાઓ, દેશમાં પણ પ્રવૃત્તિઓ કર્યા કરવી, ત્યાંની સંસ્થાઓમાં પણ હોદ્દાનો મોહ રાખ્યા વગર દરેક કાર્ય સંઘનું કે જ્ઞાતિનું કે સમાજનું સાથે રહીને ઉમંગથી કરવું તેમ જ અન્ય ભાઈઓ પણ કામમાં સલાહ-સૂચનો માટે જરૂર મળે. અને મેગ્ય વ્યવસ્થા કરવી, પિતાશ્રીની માફક ગુપ્ત દાનની પ્રણાલિકા જાળવવી, એવી ઈચ્છા. કેઈને પણ તેમની પાસે બેઠા પછી ઊઠવાનું મન ન થાય તેવી લાક્ષણિક વાતો તેમની આગવી વિશેષતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org