SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ] [ ૨૭૩ પૂરો ન કરી શક્યા. તે જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મુંબઈની પ્રસિદ્ધ સંસ્થા જૈન યુવક સંઘના ૧૯૮૧ થી ૧૯૮૫ સુધી તે સહમંત્રી હતા અને ૧૯૮૫ થી ૧૯૮૮ સુધી મંત્રીપદે હતા. આ વર્ષે શ્રી મહુવા યુવક સમાજ, મુંબઈના મંત્રી તરીકે એમની વરણી થઈ છે. તેમની માતૃસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે પંદર વર્ષ રહ્યા બાદ ફેબ્રુઆરી ૧૯૮૮ થી તે આ સંસ્થાના રજિસ્ટ્રાર તરીકે જોડાયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ભાવનગર જ્ઞાનસત્રની સ્વાગત સમિતિના સંવાહક તરીકે એમની નિમણુક થયેલી. એમને વિવિધ વિષયમાં રસ છે. શાસ્ત્રીય સંગીતનો નાદ તે શાળા-જીવનથી લાગેલે. અવારનવાર એમના લેખ “પ્રબુદ્ધ જીવન”, “જન્મભૂમિ', મુંબઈ સમાચાર”, “ફૂલછાબ” વગેરેમાં પ્રગટ થાય છે. “ગ્રંથ”માં તેમણે કેટલાંક અવેલેકને લખેલાં. ૧૭૮ થી લગભગ બે વર્ષ સુધી તે “ઘોઘારી જૈન દર્શન”ના તંત્રી હતા. આવા સંનિષ્ઠ, સંવેદનશીલ, વિચાર કરનારા અને સમાજસેવાની ભાવનાથી એની અભિવ્યક્તિ સાધનારા લેખક શ્રી પન્નાલાલ શાહ પાસેથી ઉત્તરોત્તર મૌલિક વિચારણાના ગ્રે મળે એમ ઈચ્છીએ. એ આકાંક્ષા એમણે જ જન્માવી છે ને? - શ્રી પ્રતાપરાય પ્રેમજીભાઈ સંપૂર્ણ વૈભવની સગવડ હોવા છતાં સંપૂર્ણ સાદું જીવન જીવી જનાર જૂની પેઢીના સ્વ. શેઠશ્રી પ્રેમજી ભીમજી મૂળ સૌરાષ્ટ્રના વેરાવળના વતની, જેઓ ઘણાં વર્ષોથી મુંબઈ આવીને વસ્યા, મુંબઈમાં જ સ્થિર થયા અને ઉજજવળ કારકિદીને પાયે પિતાના વતન તેમ જ મુંબઈમાં નાંખ્યો. તેમના પુત્ર શ્રી પ્રતાપરાય આ જ ક્ષેત્રમાં મૂળજી જેઠા માર્કેટમાં પિતાશ્રીએ સ્થાપેલી ૮૫ વર્ષ જૂની પ્રતિષ્ઠાસંપન્ન પેઢીનું સંચાલન કરે છે. મેટ્રિક સુધીને જ અભ્યાસ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy