________________
કાવ્યમાં
વિચારલીલ
સાકારક
૨૭૨ ]
[ આપણું શ્રેણી યોગ્ય જ કહ્યું છે તેમ પન્નાલાલ કવિતા લખે છે એની તે તેમણે કલ્પના જ આવવા દીધી ન હતી! તેમણે છંદોબદ્ધ અને અછાંદસ બંને પ્રકારની રચનાઓ આપી છે. અર્થાન્તરન્યાસી ઉક્તિઓ તેમને સહજ છે. મુક્તકમાં એને સારો અવકાશ મળે છે. કેટલાંક મુક્તક સચેટ થયાં છે, ક્યારેક છંદોમાં તે છૂટ લે છે અને એને મુકાબલે ગદ્યકાવ્યમાં પ્રવાહિતા આવી છે. ભારેખમ બન્યા વગર તે પિતાની લાગણીલીલા સાથે વિચારલીલાને અનુબંધ રચે છે. બંનેની યુગપદ સંસ્થિતિ થઈ છે ત્યાં પરિણામ સંતોષકારક આવ્યું છે. એમની પાસેથી આથી પણ સમૃદ્ધ રચનાઓ મળે એવી શક્યતા અહીં દેખાય છે તે નાનીસૂની વાત નથી.
- શ્રી પન્નાલાલનું ત્રીજુ કાર્ય સંપાદન પરત્વે છે. તેમણે ચીવટ અને જહેમતપૂર્વક કેટલાંક સારાં સંપાદને કર્યા છે. મહત્વનાં સંપાદનમાં “મહુવાની અમિતા' (૧૯૭૯), સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનો લેખસંગ્રહ “સમય-ચિંતન” (અન્ય સાથે, ૧૯૮૪) તત્ત્વવિચાર અને અભિનંદન (ચીમનલાલ ચકુભાઈને લેખસંગ્રહ, અન્ય સાથે, ૧૯૮૫) “સવીર્મધ્યાન” (સ્વતંત્ર સંપાદન)ને સમાવેશ થાય છે. “સવીધ્યાનપુસ્તક દસમા સૈકામાં થયેલા શુભચંદ્રાચાર્યે લખેલા “જ્ઞાનાર્ણવ ગ્રંથનાં બે પ્રકરણ છે. એને અનુવાદ
સ્વ. વિરચંદ ગાંધીએ કરેલ અને એના પર સ્વ. પંડિત લાલને વિવેચન કરેલું. આ પુસ્તક મુંબઈમાં ઈન્દ્રભુવન હોટેલ, પ્રિન્સેસ સ્ટ્રીટ પર એક ફેરિયા પાસેથી મળ્યું. તેમણે એનું સંપાદન કર્યું અને નવેસરથી કૂટનેટ ઉમેરી. એમની વિદ્યાપ્રીતિને એમાંથી અણસાર મળે છે.
શ્રી પન્નાલાલ ૨. શાહને જન્મ તા. ૧૪ જૂન ૧૯૪૦ના રોજ તેમના મોસાળ તળાજામાં થયું હતું. વતન મહુવા (જિ. ભાવનગર). ૧૯૫૮માં એસ. એસ. સી.ની પરીક્ષા પસાર કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં જોડાયા. ૧૯૬રમાં તેમણે મુંબઈ યુનિ.ની બી. કેમ.ની પરીક્ષા પસાર કરી. એ પછી તેમણે સી. એ.ને અભ્યાસ આરંભ્ય. ઇન્ટરમિડિયેટ સી. એ.ની પરીક્ષા પસાર કરી પણ પછી સંજોગ અનુસાર એ અભ્યાસ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org