________________
૨૭o )
[ આપણા શ્રેષ્ઠીવર્યો મહાવીર જૈન વિદ્યાલય, નાનીમોટી અનેક સંસ્થાઓમાં તેમની નિઃસ્વાર્થ સેવા યાદગાર બની.
પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી દાદાની પ્રેરણાથી શાસનસેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં એમનું નામ સૌ પ્રથમ મેખરે રહ્યું. આણંદજી કલ્યાણજીની પેઢીમાં પાટણના સક્રિય કાર્યકર તરીકે, પાટણ જનતા હોસ્પિટલ, પાટણ પાંજરાપોળ; ફૂટપાથ પાર્લામેન્ટ, સર હરકિસન હોસ્પિટલ, સુરત રેલ સંકટ, ગરીબો માટેનાં દૂધકેન્દ્રો અને કોંગ્રેસની રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને ગજબનું કામ કર્યું.
તેમની સેવાની કદરરૂપે ૧૯૫૮માં મુંબઈ સરકારે જેપીની માનવંતી પદવી આપી. પાટણ જૈન સંઘે એમનું બહુમાન કરી નવાજ્યા. લાખિયાવાડના રહેવાસીઓએ પણ તેમને સન્માન્યા. જનસમાજમાં ઘણું મોટું માન-સન્માન પામ્યા. સેવાજીવનની એ જ પગદંડી ઉપર તેમના પુત્રે ચાલી રહ્યા છે.
સૌથી મોટા પુત્ર શ્રી હરેશભાઈ પણ મુંબઈની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. નાણાવટી હોસ્પિટલમાંથી પરિવાર અને અન્ય સર્કલમાંથી વ્યવસ્થા કરાવીને એક ફ્રી બેડની જોગવાઈ કરાવી છે. મહાવીર હોસ્પિટલમાં સારું એવું દાન આપેલું છે. ભારતની તીર્થયાત્રાને પણ આ પરિવારે લાભ લીધે છે.
ગરીબને દવાદારૂ, રક્તદાન, અને એવી અન્ય માનવસેવાની પ્રવૃત્તિમાં શ્રી હરેશભાઈને વિશેષ રસ છે. આખું યે કુટુંબ મંગલ ધર્મની ભાવનાથી રંગાયેલું છે. શ્રી હરેશભાઈ મુંબઈની જુદી જુદી સંસ્થાઓ સાથે આ રીતે સંકળાયેલા છે. પ્રિન્સેસ સ્ટ્રીટ-લેહાર ચાલ જૈન સંઘના ટ્રસ્ટી, જનસેવા સંઘ-મુંબઈના ખજાનચી, લીબર્ટી હાઈસ્કૂલ, મુંબઈના ખજાનચી; ફૂટપાથ પાર્લામેન્ટના મેમ્બર, આત્માનંદ જૈન સભાના મેનેજિંગ કમિટી મેમ્બર તથા જેન વેતામ્બર કેન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org