________________
અભિવાદનગ્રંથ ]
શ્રી પનાલાલ ભીખાચદ શાહ
જૂની પેઢીના પ્રખર પુરુષાર્થ ની પ્રતિભૂતિ સમા શ્રી પનાલાલભાઈ ખી. શાહૂનુ નિસ્પૃહી અને સેવામય જીવન તેમની સખાવતી વૃત્તિની સ્વય' પ્રતીતિ કરાવી જાય છે.
[ ૨૬૯
આ સાહિસક અને સેવાભાવી શ્રેષ્ઠીને જન્મ ગરવી ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં ૧૯૬૬ના અષાઢ સુદિ સાતમને સામવારે થયા. નાની વયમાં પિતાશ્રીની શીતળ છાયા ગુમાવી. સંઘષ અને ઝંઝાવાતા સામે બાથ ભીડવા કમર કસી. ખપ પૂરતા અભ્યાસ કરીને જીવનસંગ્રામમાં આગળ વધ્યા પણ માત્ર સેવા એ એમના એકમાત્ર પરમાનદ રહ્યો. કર્તવ્ય એ એમના જીવનનુ એકમાત્ર ધ્યેય રહ્યું. ખાસ કરીને માનવસેવા એમના જીવનભરના મ`ત્ર બન્યા.
મજબૂત મનેખળ, મિલનસાર અને નિખાલસ હૃદય અને દૃઢ નેતૃત્વશક્તિને કારણે તેઓ મુંબઈમાં ફૂટપાથ પાર્લામેન્ટના સફળ સુકાની બન્યા. સમૂહુબળ જમાવ્યુ અને તે દ્વારા જનગણની સુંદર
સેવા કરતા રહ્યા.
સેવાને ગહન માર્ગ અપનાવી સયમ, સાદાઈ અને સૌજન્યતાના ત્રિવેણીસંગમ સમા આ વિરાટ વ્યક્તિએ જનતાના પ્રશ્નો નીડરપણે યેાગ્ય સ્થળે રજૂ કરી જનમાનસમાં સુંદર સુવાસ ઊભી કરી.
જીવનભર ખંત અને ધીરજપૂર્વક ઘણા પ્રસંગોએ એક અડગ યુદ્ધાની જેમ જૈન શાસનની અને બીજી સખ્યાબંધ સંસ્થાએ દ્વારા સેવા કરી.
S22
શેઠ અમીચંદ પન્નાલાલ શ્રી આદીશ્વરજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ વાલકેશ્વર—મુંબઇ-૬ના જીવન પર્યંત ટ્રસ્ટી હતા. મુંબઈમાં દવાના ધંધાની લાઈનમાં જોડાયા – “ વારા બ્રધસ ” પેઢીના ભાગીદાર અન્યા અને વિશિષ્ટ પ્રગતિ સાધી. એમના અનોખા વ્યક્તિત્વને કારણે વ્યાપારી આલમમાં પણ સૌના તેઓ પ્રીતિપાત્ર બન્યા.
Jain Education International
પ્રિન્સેસ સ્ટ્રીટ-લુહાર ચાલ જૈન સઘના અગ્રણી-મેાલી, જૈન શ્વેતામ્બર કેન્સ, મુંબઈ જૈન સ્વયંસેવક મ`ડળ, આત્માનંદ સભા,
For Private & Personal Use Only
www.jainelibrary.org