________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૬૩ કુશાગ્ર બુદ્ધિથી રંગ-રસાયણના કામની શરૂઆત સતીશ ટ્રેડિંગ કું. થી કરી. તેમાં તેઓ દિવસે દિવસે સારી એવી સફળતા મેળવતા ગયા. યશસ્વી બન્યા અને ડાઈઝ અને કેમિકસમાં તેઓ આજે અગ્રગણ્ય વ્યાપારી ગણાય છે. પોતાની માતૃસંસ્થા ગુરુકુળનું ત્રણ અદા કરવા તેમણે પોતાના તરફથી એક સ્કલર વિદ્યાર્થીને સ્કલરશિપના રૂ. ૭૫૦૦ આપવા ઉદારતા દર્શાવી છે. આ સિવાય પ્રસંગે પ્રસંગે જુદી જુદી સંસ્થાઓને પણ તેઓ સહાયક બને છે. તેમનાં માતુશ્રીના ધર્મના સંસ્કારો ભાઈશ્રી નંદલાલભાઈમાં ઊતર્યા છે. તેમનાં નાનાં બહેન મધુબહેને અમલનેરમાં ભાગવતી દીક્ષા લીધી છે અને સાધ્વી શ્રી વિપુલશ્રીજીની સંયમયાત્રા દરમ્યાન સમેતશિખરની યાત્રા સંઘમાં જોડાઈને ત્યાં કાળધર્મ પામ્યાં છે. તેમના અગ્નિસંસ્કારની જગ્યાએ દેરી બનાવી છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી ભાનુબહેન પણ ધર્મપ્રિય અને સેવાપ્રિય છે. ભાઈશ્રી નંદલાલભાઈ ઉત્સાહી, ધગશવાળા, સમાજકલ્યાણપ્રેમી અને નવી વિચારસરણીવાળા છે. તેઓ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના રત્ન છે. સંસ્થાના સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેઓએ અતિથિવિશેષ તરીકેનું પદ શોભાવ્યું હતું.
રવ. શેઠશ્રી પરસોત્તમ સુરચંદ જન્મ સંવત ૧૯૩૬ ફાગણ વદિ-૧, તા. ૧૩–૯–૧૮૮૦. સ્વર્ગવાસ સંવત ૨૦૧૫, માગશર સુદિ–૧, તા. ૧૨-૧૨-૧૯૫૮. જે પરિવારના પ્રત્યેક કાર્યોને સમાજે સન્માન બક્યું છે, જેમની સેવા-ભાવનાને કારણે કુળ અને કુટુંબને ઉન્મત્ત અને શ્રેષ્ઠ બનાવ્યું છે, એ વિરલ વિભૂતિ શેઠશ્રી પરસોત્તમદાસ મૂળ ધ્રાંગધ્રાના અને મુંબઈમાં જેમના નામની પેઢી મેસર્સ પરસોત્તમ સુરચંદના નામથી મશહૂર છે. આ પેઢીની ઉત્તરોત્તર પ્રગતિકૂચમાં શેઠશ્રીનું શાણપણ, વિનમ્રતા, સૂઝ, બુદ્ધિ અને નીતિમત્તાને નિરાળે વાર કારણભૂત છે. તેમના ધર્મમય જીવનનાં વિવિધ પાસાંઓ યશજવલ રીતે જનસમૂહમાં ખ્યાતિ પામ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org