________________
[ આપણા શ્રેષ્ઠીવર્યો તેઓ દસ-બાર વર્ષ માટુંગા જૈન સ્વયંસેવક મંડળના પ્રમુખસ્થાને રહ્યા. શ્રી અમરેલી જૈન વિદ્યાર્થીગૃહના વિકાસ-પ્રયત્નમાં તેઓશ્રીને મહત્ત્વનો ફાળે છે અને તેમના શુભ હસ્તે સંસ્થાના મકાનનું શિલારોપણ થયું છે. શ્રી વીરચંદ પાનાચંદ કુટુંબ-પત્રિકાનાં તેમનાં લખાણ રસપ્રદ, બોધક અને કુટુંબ-વાત્સલ્યભર્યા હતાં. વીરનગરમાં તેમના પરમ પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે પિતાના પિતાનું નામ જેડી ભવ્ય છાત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ અને છાત્રાલયમાં તેમના કુટુંબ સાથે તેમને માટે ફાળે છે. તેમનાં પૂજ્ય માતુશ્રીની ઇચ્છા પિતાની કમ મેસાળમાં (દેવગામમાં) વાપરી સ્કૂલ બનાવવાની હતી. તે સ્કૂલનું ખાતમુહૂર્ત શ્રી નંદલાલભાઈના વરદ હસ્તે ૧૯૬૭માં થયું હતું
શ્રી નંદલાલભાઈનાં પત્ની શ્રીમતી ધીરજબહેન અત્યંત ધર્મનિષ્ટ અને સેવાભાવી છે. જૂહને તેમને “નંદનવન બંગલો એ પણ અનેક અતિથિઓના સત્કારગૃહ જેવો છે. શ્રીમતી ધીરજબહેન “જૈન મહિલા મંડળ, જડ”ના પ્રમુખ છે.
આજે તેઓ ઘણી સંસ્થાઓમાં અને એસેસિયેશનેમાં ટ્રસ્ટીપદે કે મેનેજિંગ કમિટીમાં છે. જૂહ જેન સંઘના તેઓ આગેવાન છે. ધંધાકીય ક્ષેત્રે બીજા ઉદ્યોગો સ્થાપ્યા છે તેમ જ વ્યાપાર-ઉદ્યોગ સાથે સાહિત્ય, સંગીત અને ધાર્મિક અભ્યાસમાં ખૂબ રસ લે છે.
શ્રી નંદલાલ પરમાણંદદાસ વોરા ભાગ્યને સિતારો ચમકે છે ત્યારે સુખ-શાંતિ-સમૃદ્ધિ આવી મળે છે. ભાઈશ્રી નંદલાલ પરમાણંદદાસ વેરાની જન્મભૂમિ ગારિયાધાર. ગુરુકુળ પાલીતાણામાં કેમર્સ મેટ્રિકનો અભ્યાસ કરી એસ. એસ. સી. થયા પછી શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહી બી. કેમ. થયા. ગુરુકુળમાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી ગણાતા. ગુરુકુળની વિવિધ વિકાસ પ્રવૃત્તિઓમાં પણ તેઓ સારે એવો રસ લેતા હતા. તેમનો સ્વભાવ મળતાવડો અને સેવાપ્રિય હતા. મુંબઈમાં તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org