SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૨૬૫ ધર્મભાવ, સેવાભાવ, ઉદારતા અને બુદ્ધિમત્તાના પ્રતાપે ભાવનગરનાં જાહેર કાર્યોમાં તેમનું સારું એવું પ્રદાન કર્યું છે. ભાવનગરના સહકારી હાટ મધ્યસ્થ ભંડારની વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે, ભાવનગર રોટરી કલબના સભ્ય તરીકે, તેમની સેવાઓ જાણીતી છે. ૧૯૫૫માં મુંબઈ સ્ટે. ઈલેકટ્રીસીટી બેડના ફાઉન્ડેશન કામથી તેમની કારકિર્દીને પ્રારંભ થયો. કસ્ટ્રકશનનાં ઘણાં કામે તેમના હાથે થયાં અને પ્રગતિ પામ્યાં. ૧૯૭૨માં કેનેડા-અમેરિકા દેશની સફર કરી. ભારતમાં પણ ઘણું ફર્યા. સાદગી અને સેવાના ચાહક શ્રી જયંતભાઈ સિદ્ધિનાં સોપાન સર્જતા રહે એવી શુભેચ્છા. શ્રી નંદલાલ રૂપચંદ શાહ સેવામૂર્તિ, રાષ્ટ્રપ્રેમી શ્રી વીરચંદભાઈના બડભાગી કુટુંબમાં શ્રી રૂપચંદભાઈને ત્યાં ઈ. સ. ૧૯૧૫ માં વિરનગર ખાતે નંદલાલભાઈનો જન્મ થયો હતો. નંદલાલભાઈએ ભાવનગર દક્ષિણામૂર્તિ, પાલીતાણું બાલાશ્રમ અને લીંબડી વિદ્યાર્થીગૃહમાં રહીને અભ્યાસ કર્યો. ૧૯૩૦ની સ્વાતંત્ર્યની લડતમાં સારે ભાગ લીધો હતો. વ્યાયામ; રમતગમત અને તરવાને શોખ હતે. વીસ વર્ષની યુવાન વયે ગોંડલમાં સાબુનું કારખાનું શરૂ કર્યું તેમાં સારી સફળતા મેળવી. ૧૯૪૭માં વ્યાપાર અર્થે કરાંચી ગયા ત્યાં પણ સેવાક્ષેત્રે નેધપાત્ર કામ કર્યું. મિત્ર અને શુભેચ્છકે એ ત્યાં તેમનું સન્માન કર્યું હતું. ગોંડલમાં હરિજન સેવક સમાજના મંત્રીપદે રહી તેમણે નેંધપાત્ર સેવા કરી હતી. ૧૯૪૮માં કરાંચી છેડી મુંબઈ આવ્યા અને ઉદ્યોગપતિ થવાનાં સોણલાં સિદ્ધ કરવા તેઓ કેલિકે ઈન્ડસ્ટ્રીઅલ એન્જિનિયર્સમાં મેનેજિંગ પાર્ટનર તરીકે જોડાયા અને આજે ઉદ્યોગક્ષેત્રે દેશના વિકાસમાં પ્રશંસનીય ફાળે આપી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy