SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી નૌતમલાલ ઠાકરશી મહેતા વિવિધ ક્ષેત્રના વિશાળ પટ ઉપર નિષ્ઠાભરી ઉપાસના વડે વ્યાપારવતુંલને સમૃદ્ધ કરનારા સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારીઓમાં શ્રી નૌતમલાલભાઈ મહેતાનું નામ પ્રથમ હરોળમાં ગણાયું છે. રાજકોટના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર થઈને પિતાની જીવન-કારકિર્દી દરમ્યાન ઉજજ્વલ તવારીખ અંક્તિ કરતા ગયા છે તેમાં તેમના અથાગ પરિશ્રમનું પ્રતિબિંબ પડે છે. ઈન્ટર આર્ટસ સુધીને જ અભ્યાસ પણ વ્યવહારદક્ષતા અને કાર્યકુશળતાને કારણે સારી પ્રગતિ અને માનપાન પામ્યા. સમાજસેવાની શુભ પ્રવૃત્તિ તે છેક બાલ્યકાળથી જ કરતા આવ્યા હતા. અછત, દુષ્કાળ કે તંગીની કારમી પરિસ્થિતિમાં રાજકોટ સેવા સમાજ સંઘ અને બીજી સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા આપી હતી. તેઓ જ્ઞાતિવત્સલ, સખાવતી અને વિદ્યાપ્રેમી હતા એટલા જ ધર્મપરાયણ અને સમાજનું ગૌરવશાળી રત્ન ગણાતા હતા. ભાવનગરના સ્થાનકવાસી જૈન સંઘની મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે, ગુજરાત રાજ્ય પિટ એડવાઈઝરી બર્ડના એલ ઇન્ડિયા સ્ટેઈટ પીપલેસ કેન્ફરન્સમાં કષાધ્યક્ષ તરીકે તેમની પ્રશંસનીય સેવા પડેલી છે. જાહેર જીવનમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકર તરીકે તેમનું એ જમાનામાં ઘણું માનપાન હતું. સ્વ. શ્રી બળવંતભાઈ મહેતા સાથે રહીને જિલ્લા કેસની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશાં મેરે હતા. ૧૯૯૬માં ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. તેમના મિલનસાર સ્વભાવથી તેઓ બહોળા જનસમૂહને પ્રીતિપાત્ર બની શક્યા હતા. ભાવનગરમાં ભાવનગર મશીનરી સપ્લાઈ કુ. દ્વારા ધંધાદારી ક્ષેત્રે તેઓશ્રી ઘણું મેટી પ્રગતિ હાંસલ કરી શક્યા હતા. તેમણે ઊભી કરેલી માનવસેવાની પગદંડી અને કેટલીક જવાબદારીઓ તેમના સુપુત્ર શ્રી યંતભાઈ મહેતાએ ઉપાડી લીધી. શ્રી યંતભાઈ એ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy