________________
અભિવાદનગ્રંથ ]
શ્રી નીમચંદ ઠાકરશીભાઈ
ગુજરાત જૈન સમાજ પાતાનાં દાનવીર રત્નાની પરગજુવૃત્તિ અને દાનશીલતાને લઈ ગૌરવ અનુભવે છે. તેવા દાનવીર મહાનુભાવામાં શ્રી નીમચંદભાઈ ને પણ મૂકી શકાય. સૌરાષ્ટ્રમાં આવેલા ચેોટીલાના વતની, સામાન્ય અભ્યાસ, પણ હૈયા–ઉકલત અને વ્યવહારકુશળતાને લઈ નાની વયમાં જ ધંધાર્થે કલકત્તા પ્રયાણ કર્યું. ભારે પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા ધંધાને વિકસાવ્યેા. ધંધામાં બે પૈસા કમાયા અને ઘણી સંસ્થાઓમાં ગુપ્તદાનથી સેવા આપી.
૨૬૩
ચોટીલામાં કસ્તુરબા નીમચ'દ દવાખાનું આ કુટુંબની દેણુગીને આભારી છે. ર્નિચર અને સાધન-સરજામ સાથેનું આ દવાખાનું ગરીબ લોકોને આશીર્વાદરૂપ થઈ પડયું છે. ચોટીલા સ્મશાનમાં મેાંઘીખા વિસામે, મેઘીબાઈ સ્કૂલમાં એક રૂમ પાંજરાપોળમાં પ્રસંગોપાત્ત મદદ, ગરીબ કુટુંને પ્રસંગેાપાત્ત અનાજ કપડાં અને ખાનગી મદદ, શિયાળામાં લોકોને ઠંડીથી રક્ષણ આપવા બ્લેકેટ વગેરેની મદદ, બિહાર રાહતફડ તથા એવા અનેક ફંડફાળામાં આ કુટુંબનુ' યશસ્વી પ્રદાન રહ્યું છે. આ કુટુંબમાં અગ્રણીએ શ્રી નટવરલાલભાઈ, શ્રી સુમનભાઈ, શ્રી જયંતિભાઈ વગેરેએ શ્રી નીમચંદભાઈ ના વારસા જાળવી રાખ્યા છે.
આ કુટુંબના અગ્રણી શ્રી જયંતિભાઈ જેએ મુંબઈમાં સુમનલાલ નીમચંદની પેઢીનું સ`ચાલન કરી રહ્યા છે, સામાજિક સસ્થાને આજે પણ તેમની હૂંફ પ્રેરણા અને સહાનુભૂતિ મળતાં રહ્યાં છે. શ્રી નટવરલાલભાઈ મદ્રાસ ખાતે એફ. હાલે એન્ડ કુાં. ( સાઉથ )નું સંચાલન કરે છે તેમ જ વિવેકાનંદ ટ્રસ્ટમાં શાળાને માટે સારી એવી રકમ આપી છે.
વિવેકાનંદ એજ્યુકેશન સાસાયટી, મદ્રાસને સુમનભાઈ તથા મહેશભાઈ કલકત્તા ખાતે વેપારનું સંચાલન કરી રહ્યા છે. શ્રી મહેશભાઈ કલકત્તામાં અનેકવિધ પ્રવૃત્તિએમાં સારા એવા રસ લઈ રહ્યા છે. અત્રે મુંબઇમાં કન્સ્ટ્રકશનનું કામકાજ ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org