SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો વિશ્વગુર્જરી પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં ડેકિયું કરતાં જણાયું કે ગુજરાતી પ્રજા વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી ગઈ છે. કવિ ખબરદારની એ ઉતિ પુરવાર કરે છે કે, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.” આવા ગુજરાતીઓની સંખ્યા ભારતમાં વીસ લાખ અને ભારત બહાર વીસ લાખ, એટલે કે અડધા કરોડ જેટલી થવા જાય છે. ત્યાંની પ્રજામાં ઓતપ્રેત થઈ જઈને, એકદમ નિરુપદ્રવી જીવન જીવતી આ પ્રજા માટે પણ આજે અનેક સમસ્યાઓ બડી થઈ જાય છે. રંગભેદ, જાતિભેદ અને પ્રાન્તપ્રદેશના વાદવિવાદોએ અનેક મૂંઝવણ-મુશ્કેલીઓ ઊભી કરી છે. યુગાન્ડા સરકારે ભારતીયની હકાલપટ્ટી કરી તેમાં મોટો ભાગ ગુજરાતી હતો. લંડનમાં રંગભેદની નીતિ અને “બિંદી હટાવોનાં આંદોલનમાં પણ આ પ્રજાને જ સચવાનું થયું છે. આવી સમસ્યાઓને ઉકેલ માટે અને અન્ય બાબતો પર લક્ષ આપવા માટે તા. ૧-૫-૧૯૭રના રોજ શ્રી વિનોદચંદ્ર સી. શાહે “વિશ્વગુર્જરીની સ્થાપના કરી. અમદાવાદ, આશ્રમ રોડ પર આવેલી આ સંસ્થા ગુજરાત બહાર વસતા ગુજરાતીઓના વસવાટની ચિંતા કરે છે અને તેઓની સમસ્યાઓના ઉકેલ લાવે છે. વતન અને પરદેશ વચ્ચે સેતુ રચી આપે છે. સ્વજનો સાથે ઘનિષ્ઠ સંપર્કો રચી આપે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓનું સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ સંસ્થા સ્થપાયાને ત્રણ માસ થયા ત્યાં જ યુગાન્ય સરકારે ૪૦૦૦ જેટલા ગુજરાતીઓની હકાલપટ્ટી કરી, જેમના મોટા ભાગના વતન પાછા ફર્યા ત્યારે આ સંસ્થાએ તેઓને કઈ ને કઈ ધંધાઉદ્યોગ માટે સવલતો ઊભી કરી આપી. “દરિયાપાર ગુજરી વસાહત ઊભી કરી, જેના ફળ સ્વરૂપે મણિનગર ખાતે “યુગાન્ડા પાર્ક' આકાર લઈ શકયું. “વિશ્વગુર્જરી” એ બહાર વસતા ગુજરાતીઓ પાસેથી ફંડ એકત્રિત કરીને, ગુજરાત સરકારની મદદ લઈને આવી અનેક પ્રવૃત્તિઓ ચલાવી છે. વોશિંગ્ટનમાં વસતા ગુજરાતીઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy