________________
અભિવાદનગ્રંથે ]
[ ૧૭ થઈ પછીથી યુરોપિયનોની સત્તામાં જબરો ફેલાવો થતે ગયે અને જેમ જમીન પર તેમ દરિયા પર પણ તેમની સત્તાને પંજે પડ્યા તેમ દરિયાવટ ઓછી થતી ચાલી. અને આજે તો આખી તસવીર જ બદલાઈ ગઈ છે ત્યારે એક યુગમાં આખા વિશ્વ પર એકચકી શાસન ભગવતું વહાણવટું આજે પરિકથા જેવું લાગે તો નવાઈ નહીં.
ભલે, સમય પલટાતાં વેપાર-વણજની પ્રથામાં આમૂલ પરિવર્તન આવ્યાં; પણ એક યુગમાં આ પ્રજાએ વહાણવટા દ્વારા સંસ્કૃતિ અને સમૃદ્ધિનાં આદાન-પ્રદાનમાં આગવું સ્થાન ભેગવ્યું હતું તેને ઇતિહાસ કેઈ કાળે ભુસાશે નહીં. ગુજરાતનાં ૫૪ બંદરોએથી ઊપડતાં વહાણોએ ભાષા, પિશાક, રીતરિવાજ, સગુણ, શિક્ષણ, ધર્મ આદિ અને બાબતો ઘણા દેશની આદિવાસી પ્રજામાં રેપી છે. આજે કળા-કારીગરીમાં ગુજરાત હોય, ભાષામાં ગુજરાત હોય, પિશાકમાં ગુજરાત હાય એવાં દષ્ટાંતે શ્રીલંકા, જાવા, સુમાત્રા, આફ્રિકા, મોરેશિયસ કે જાપાન સુધી શોધવા જનારને સહજરૂપે મળી આવે. એટલું જ નહિ, આજે ખૂણે ખૂણે ગુજરાતી નાનકડી હાટડી માંડીને બેઠેલા જોવા મળે તે આ પ્રજાને લેહીને વાર છે. કહેવાય છે કે કચ્છની વસતી કરતાં બહાર વસનારા કરછીઓની સંખ્યા બમણી છે! એ દર્શાવે છે કે, યુગોથી ચાલતા આ દરિયાઈ વેપારવણજમાં આ પ્રજા કેટલી ઓતપ્રેત થઈ ગઈ હશે !
આમ, પૌરાણિક અને મધ્યકાલીન ગુજરાતના નકશા પર કેસરિયાં કરવાનાં, જોહર કરવાનાં, સતી થવાનાં, વાતવાતમાં સાહસ કરવાનાં, જોતજોતામાં પરાક્રમે કરવાનાં, છાતી ફાટ-ફાટ થાય એવાં દwતે જોવા મળે છે, તેમ દરિયાવટના સાહસિકોને પણ એક સુદીર્ઘ અને ધીંગો ઇતિહાસ મળે છે! સિંહ, અશ્વો અને શક્તિશાળી જંગલી ગર્દના આ પ્રદેશમાંથી એવા જ શક્તિશાળી, સાહસિક અને હિંમતબાજ નરપુંગવે પાક્યા હશે–તે જ આવી ઊજળી ગૌરવગાથાઓ રચાઈ હશે એમાં શંકાને સ્થાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org