________________
૧૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો આ દરિયાવટ સાચવી છે. એવી જ રીતે, પિતાના દેશની કેટલીક રૂઢિચુસ્તતા પણ નડતી; એને ઓળંગીને ગુજરાતી પ્રજાએ દરિયાવટ વિકસાવી છે. અનેક દેશોમાં વહાણે ભાંગી જવાથી કે ભૂલા પડી જવાથી કે પાછા ફરવાની કેઈ શક્યતાઓ ન દેખાવાથી કે ત્યાં જ વસી પડ્યા હોય એવા દાખલાઓ પણ બન્યા છે. એવા લોકોએ ધીમે ધીમે જે તે દેશની સંસ્કૃતિ અપનાવી લીધી હશે એમ માનવું અગ્ય નથી. આવી શહાદત હજારો-લાખોની સંખ્યા વટાવી જાય તેટલી થાય.
આવા બહાદુર, ખડતલ, હોંશિયાર મરજીવાઓએ ગુજરાતી દરિયાવટને જીવતી રાખી છે. વિષુવવૃત્ત ઓળંગે ને ધ્રુવને તારો દરિયામાં ડૂબી જાય તે પછી મધદરિયે દિશાહીન માર્ગ કાપતા સાહસિકનાં ચિત્રે મનઃચક્ષુ સામે ખડાં કરીએ ત્યારે જ એમની બહાદુરી અને ખમીરીની ઓળખાણ થઈ શકે. દક્ષિણ દિશામાં જતાં વહાણો અવતારક વિના પાછા ફરે તે ફરે અને એટલે જ કદાચ દક્ષિણ દિશાને યમની દિશા કહી છે. યમનું પ્રતીક ત્રણ હજાર વર્ષ જૂનું છે. એ દર્શાવે છે કે ત્રણ હજાર વર્ષ પૂર્વે ભારતીય પ્રજાએ દરિયે ખેડી નાંખ્યો હતે.
આમ, કાયયુગથી માંડીને સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી અને વૈદિક સંસ્કૃતિથી માંડીને બૌદ્ધ-જૈન ધર્મની સંસ્કૃતિ સુધી ગુજરાતની દરિયાવટ અવિરતપણે સારાયે વિશ્વમાં વિખ્યાત હતી એમાં શંકાને સ્થાન નથી. વહાણે બનાવવાથી માંડીને વહાણે ચલાવવાની માલમીવિદ્યાથી આ બંદરે પ્રખ્યાત હતાં.
પાંચ હજાર વરસના આ ગૌરવવંતા ઇતિહાસ પછી પાંચ વરસના ઈતિહાસમાં પ્રવેશીએ છીએ ત્યારે એ જાહોજલાલી ધીમે ધીમે ઓસરતી જતી દેખાય છે. વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન અને યંત્રોદ્યોગોની હરણફાળે આખા વિશ્વની તાસીર ફેરવી નાખી, તેમ દરિયાવટનું પણ થયું. આરંભમાં આરબ દેશે સાથે જમીનરતે વ્યવહાર જાળવતા મુસ્લિમ ભારતના સુલતાન બન્યા અને દરિયાવટમાં ઓટ આવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org