________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૫ છે. હજાર વર્ષ પહેલાં આફ્રિકાના એક પ્રદેશ પર હિન્દુ રાજાનું રાજ્ય હતું.
ગુજરાતી દરિયાવટ વિષેની અનેક કથાઓ જૈનધર્મના ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. છેક સિંધથી માંડીને શૂર્પરક (આજનું નાલાસોપારા) સુધી ગુજરાતને દરિયાકાંઠે અસંખ્ય સમૃદ્ધ બંદરોથી ધમધમતો હતા. બૌદ્ધ જાતકકથાઓમાં પણ ગુજરાતનાં બંદરો અને દરિયાઈ વેપારના ઉલ્લેખ મળે છે. ધર્મગ્રંથોમાં પણ દરિયાઈ પ્રવાસની સાહસકથાઓ મળી આવે છે. લક્ષ્મીને સમુદ્રની પુત્રી તરીકે સ્વીકારી છે તે દર્શાવે છે કે સંપતિ દરિયાપારથી જ આવે છે. લંકાથી મોતી, બ્રહ્મદેશથી માણેક અને જાવા-સુમાત્રા-વિયેટનામથી રને વહાણો ભરી ભરીને ગુજરાતનાં બંદરે એ ઠલવાયાના દસ્તાવેજો મળી આવે છે. આફ્રિકાથી હાથીદાંતનાં વહાણો ભરીને આવતાં એ નજરે જોનારાં લોકો આજે પણ હયાત છે. એટલું જ નહિ, જંગબાર કે મસ્કત જેવાં નગરની બાંધણી માંડવી કે સલાયા જેવી લાગે છે તેનું કારણ પણ આ દરિયાઈ સંબંધ છે. આમ, ગુજરાતનાં પચાસેક બંદરો દરિયાપારના દેશો સાથેના સંબંધના સાક્ષી હતાં.
મહાશ્રેષ્ઠિ જગડુશાનો કારભાર ભદ્રેસર (કચ્છ)થી થતો. વસ્તુપાલ-તેજપાલને વેપાર આરબો સાથે ખંભાત બંદરેથી થતો હતો. ભાટિયા, લેહાણ, જેને, કણબીઓ, ભણશાલી અદિના મોટા સમૂહ દરિયાવટ સાથે સંકળાયેલા હતા. અને વેપારાર્થે ગયેલા ગુજરાતીઓએ ત્યાંની પ્રજાના સંસ્કાર-શિક્ષણ-કળાકારીગરી વિકસાવવામાં ભાગ લીધે હોય તેનાં દષ્ટાંત પણ મળી આવે છે. ટાપુઓ પરનાં મંદિર બાંધવામાં ગુજરાતીઓએ ભાગ લીધો હતો. દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિ માટે લડત આપવામાં ગુજરાતીઓ અગ્રસ્થાને હતા એને ઇતિહાસ નજીકનો જ છે. દરિયાપારના દેશમાં વગરતલવારે સંસ્કૃતિ અને વેપારનું સમ્રાજ્ય સ્થાપવામાં ગુજરાતીઓની સરખામણી થઈ શકે તેમ નથી. તે, સામે પક્ષે, દરિયામાં ઘૂમતા અંગ્રેજ, વલંદા, આરબ ચાંચિયાઓ ઘૂમ્યા કરતા તેની સામે શક્તિ સાહસ અને ખમીરપૂર્વક ઝઝૂમીને ગુજરાતીઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org