SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) વેતાંબર જૈન સંઘની સ્થાપના કરાઈ એના પાયાને માળો બે દિવસમાં તૈયાર કરી સમસ્ત ચતુર્વિધ સંઘ સમક્ષ રખાયે. અન્ય કેઈ સંઘમાં અત્યાર લગી નથી એવું સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ચતુવિધ સંઘનું સંગઠન ઊભું થયું. ૧૧ વર્ષ પ્રમુખ તરીકે સેવાઓ આપી એ દરમ્યાન એમની અથાગ મહેનતના પરિણામે શ્રી શત્રુંજ્ય તીર્થ જે છેલ્લાં ૪૦૦ વર્ષથી અષાઢી પૂનમની યાત્રા માટે બંધ રહેતું હતું તે અચલગચ્છની પરંપરા પ્રમાણે યાત્રા સારુ ખુલ્લું કરવામાં આવ્યું અને દાદાજીની આંગી રચાઈ. માટુંગા મધ્યે “શ્રી નારણજી શામજી મહાજનવાડી” એ એમની બુદ્ધિમત્તા, વ્યવહારકૌશલ્યતા અને દીર્ધદષ્ટિને જ્વલત નમૂને છે. ૨૫ વર્ષ પહેલાં સમાજના સામાન્ય માનવીને પણ ફક્ત રૂ. ૨૫૦માં લગ્ન સારુ વાડી અપાય એવી મહાન હેતુલક્ષી યોજના આની પાછળ હતી. વાડીની આવકમાંથી થતો ચેખો નફે ૫૦ જ શ્રી દેરાસરજી અને ધાર્મિક કાર્યોમાં વપરાય અને ૫૦ % સામાજિક કાર્યો માટે વપરાય એ યેજના મુકાવી. એમના વતન વરાડીયાના દેરાસરજી ટ્રસ્ટને પચાસ વર્ષ સુધી એકધારી સેવાનો લાભ મળેલ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા શ્રી ભારત જૈન મહામંડળના ઉપપ્રમુખપદે રહી જેન ફીરકાઓની એકતા સારુ હંમેશાં રાચતા હતા. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ ઉપરાંત એઓશ્રી એના માનદ સલાહકાર પણ નિમાયા હતા. શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૨૫૦૦મી શતાબ્દી મહોત્સવ પ્રસંગે જ્યારે ભવ્ય વરઘેડે કાઢવાની વાત આવી ત્યારે જે કુનેહથી સેંકડે અવરોધ વચ્ચે પણ વરઘેડાનું આયેાજન ભાત બજાર દેરાસરથી પ્રસ્થાનનું કર્યું તે સમગ્ર જૈન સમાજ કદી યે વીસરે એમ નથી. આજે પણ એ પ્રથા ચાલુ રહી છે. - પેટી જનાના મુખ્ય આયેાજક તરીકે એમણે આપેલી દઈ. દષ્ટિ સમાજના નાનામાં નાના માનવીને સ્પર્શી જાય છે. દરેકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy