SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો મંદિર દ્વારા સચવાઈ રહી છે અને “સ્કૃતિ અને સંસ્કૃતિ” નામને બૃહદ્ ગ્રંથ એમની જીવનગાથા, એમનાં પ્રેરક સંસ્મરણ અને એમને જે સંસ્કૃતિ પ્રિય હતી તે સંસ્કૃતિની નિદેશના કરતા વરસો સુધી એમના યશસ્વી, અક્ષય અને પુણ્યલોક જીવન-મહિમાન આવનારી પેઢીને ખ્યાલ આપશે. શ્રી નારણજી શામજી મોમાયા (કચ્છ-વરાડીયા) ધર્મ એ માનવજીવનની દીવાદાંડી છે.” એ વિચારસરણીને વરેલા ધર્માનુરાગી શ્રી નારણજી શામજી માયાને જન્મ તા. ૨૦-૫-૧૯૧૩ના માયસોર રાજ્ય (હાલ કર્ણાટક)ના હબલી ગામે થયા હતા. ફક્ત નવ માસના હતા ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી પણ માતાની મમતા મળી. સોળમા વર્ષે બાબુ પનાલાલ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. આઈ. સી. એસ. થવાની ખૂબ તીવ્ર ઇચ્છા હોવા છતાં આર્થિક સંજોગો અને માતાને આગ્રહથી આટલી નાની બાલ્યવયે રૂના ધંધામાં ઝંપલાવ્યું. તત્ત્વચિંતક પિતાશ્રી શામજીભાઈ માણેકજી, ધર્માનુરાગી માતુશ્રી માનબાઈ તથા મેટાં બેન શ્રી લક્ષ્મીબાઈના આદર્શો શ્રી નારણજીભાઈએ જીવનમાં સચોટ ઉતાર્યા હતા. ઘરને બે ઉપાડવાની સાથે તેમણે કાયદો, બેંકિંગ, ટેક્ષેશન ઇત્યાદિને ઊંડો અભ્યાસ કર્યો, ઘોડેસ્વારી તથા બંદૂક બાજીમાં પણ નિપુણતા મેળવી. સને ૧૯૪૨માં રૂનો વેપાર કરતી વિશ્વવિખ્યાત પેઢી મેસર્સ ખીમજી વિસરામની કુ.માં ભાગીદાર તરીકે જોડાયા અને પિતાની કનેહ અને દીર્ઘદ્રષ્ટિથી હિંદભરમાં રૂના ધંધાને સારો એવો વિકાસ કર્યો. એમની પાસેથી રૂ ખરીદનાર મિલમાલિકને રૂની જાત અંગે નિશ્ચિતતા પ્રાપ્ત થઈ. ભારતભરમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના રૂની પરખમાં અને રૂ ઉત્પાદનના આંકડાઓ મૂકવામાં તેમની નિષ્ણાત તરીકે થયેલ ગણના આગામી વર્ષોમાં પુરાય એવી નથી. રૂની જેમ જ તેઓશ્રી હીરા પારખવામાં પણ એટલા જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy