________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૫૩ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. વનસ્પતિનું એક બૃહત્ કારખાનું શરૂ કર્યું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં વર્ષોમાં હિન્દીમાં રિબંદર પાસે રાણાવાવમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સ વર્કસ પબ્લિક લિમિટેડની મહેતા પરિવારે સ્થાપના કરી અને યુગાન્ડાના સ્વાતંત્ર્ય પછી તેમના પુત્રોએ યુગાન્ડા અને કેનિયામાં ઉદ્યોગને વિકસાવ્યા અને નૂતન ઉદ્યોગની પણ સ્થાપના કરી. દેશમાં નિવૃત્તિકાળ દરમિયાન રહીને આર્ય કન્યા ગુરુકુળ, મહાત્મા ગાંધી કીર્તિમંદિર, મહિલા કોલેજ, ભારત મંદિર, જવાહરલાલ નહેરુ પ્લેનેટરીયમની રિબંદરમાં સ્થાપના કરી. ભગવતી સરસ્વતી દેવીને, ભારત માતાને, દેશના શ્રેષ્ઠ લોકનાયકને તેમ જ સંસ્કૃતિ-પુરુષને, સન્નારીઓને એમણે ભાવપૂર્ણ અર્થ આપ્યો.
જાપાન, યુરેપ, પૂર્વ આફ્રિકા, હોંગકોંગ, ઈજિપ્ત; ઈપિયા બ્રહ્મદેશ અને સિલોનની તેમણે જેમ વૂલ સંપત્તિમાં ઉપાર્જન અર્થે યાત્રાઓ કરી તેમ ભારતવર્ષનાં બદ્રીકેદાર-અમરનાથ અને ઉત્તરાખંડના અને દક્ષિણ ભારતનાં મુખ્ય ધામેની અનેકવાર યાત્રા કરી. ભારતના સંત-મહેતાનાં દર્શન કર્યા અને આધ્યાત્મિક સંસ્કારને સતત જાગૃત રાખવા પુરુષાર્થ કર્યો. ભારતના લગભગ બધાં જ મુખ્ય તીર્થધામોમાં, આફ્રિકાની શિક્ષણ, ધર્મ અને સમાજની વિવિધ સંસ્થાઓમાં, નાઈરોબીની ગાંધી મેમેરિયલ એકેડેમીમાં, મુંબઈની બૃહદ્ ભારતીય સમાજના ઈન્ટરનેશનલ હાઉસના વિધાનમાં અને પ્રવૃત્તિમાં શાંતિનિકેતન, ગુરુકુળ કાંગડી, આર્યકન્યા મહાવિદ્યાલય વડોદરા, મહાત્મા ગાંધી હરિજન આશ્રમ, છાયા; તિલક સ્વરાજ ફંડ, મહર્ષિ દયાનંદ સમારક, ટંકારા, સુરત વનિતા વિશ્રામ, હરિદ્વાર અને રાષ્ટ્રઘડતરની સંસ્થાઓમાં તીર્થ અને તીર્થઘાટોએ પુરાતન મંદિરના જીર્ણોદ્ધારમાં અને નવાં મંદિરોમાં મૂર્તિ–પ્રતિષ્ઠા કરાવવામાં એમની અઢળક સંપત્તિને અધિક ભાગ એમણે ખર્ચો. તેઓ સાહસિક ઉદ્યોગપતિ અને સમર્થ દાનવીર તે હતા જ, પણ સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેની તેમની ભક્તિએ તેમને સમાજસુધારક, ધર્મ, સુધારક અને કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા બનાવ્યા. એમની મૃતિ એમના પરિવાર દ્વારા રચાયેલા “નિર્વાણ મંદિર” અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org