________________
ઉપર ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો સ્વ. શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા પ્રબળ પુરુષાર્થ, જ્વલંત સાહસિકતા અને ઈશ્વરકૃપાનું સફળ અને સુભગ મિલન એટલે શ્રી નાનજીભાઈનું જીવન. પુરુષાર્થે એમને કર્મયેગી બનાવ્યા. આત્માની આભા અનેકને પ્રેરવાને માટે તેઓ પાછળ મૂકતા ગયા. શેઠશ્રી નાનજીભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૪ના માર્ગશીર્ષ શુક્લ દ્વિતીયાને દિને જૂના નવાનગર રાજ્યમાં આવેલા ગેરાણ નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કાલીદાસ, માતાજીનું નામ જમનાબાઈ. આફ્રિકાના વસવાટ દરમ્યાન ઈ. સ. ૧૯૧૮ સુધીમાં બાવીશ જીનરીઓ તેમણે ઊભી કરી અને યુગાન્ડામાં કૃષિમૂલક યંત્રયુગનાં મંડાણ કરનારાઓમાંના તેઓ એક ઉદ્યોગ પુરુષ બની ગયા. પરંતુ તેઓ ત્યાંથી જ ન અટક્યા. લૂગાઝી પાસે કાલે ડુંગર પર છજ્જા અને કંપાલા વચ્ચેની ફળદ્રુપ ભૂમિએ ડુંગરની આસપાસની વિશાળ જમીન ખેતી અથે ખરીદી લીધી અને ત્યાં શેરડીનું વાવેતર કર્યું. પછી મનસૂબો કર્યો અને સ્યુગર ફેકટરી–ખાંડનું કારખાનું ત્યાં જ ઊભું કર્યું. ત્યાર પછી યુગાન્ડામાં વ્યાપાર-વણજને વિકસાવ્યા. રૂને વ્યાપાર હસ્તગત કર્યો. યુગાન્ડા ડેવલપમેન્ટ કંપની ઊભી કરી પૂર્વ આફ્રિકાની ભૂમિને ફલાવતી અને સમૃદ્ધ કરવામાં અગત્યને ભાગ ભજવ્યું. ભારતના
ખ્યાતનામ અન્ય વ્યાપાર-પુરુષને યુગાન્ડામાં વ્યાપાર અર્થે આવવા ઈજન આપ્યું. હન્નર-ઉદ્યોગ અથે યુરોપની યાત્રાઓ ખેડી અને ત્રિખંડમાં તેમનું નામ એક મશહૂર શાહ સોદાગર અને ઉદ્યોગપતિ તરીકે ઝળકતું થયું. દેશમાં અને પરદેશમાં મળીને એમણે કરેડો રૂપિયા દાનમાં આપ્યા. એ દાનપ્રવાહથી પૂર્વ આફ્રિકાની નાગરિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓ મહોરી ઊઠી અને ભારતીય જીવનના પ્રથમ ધબકારાને નવા યુગના સંદેશ સાથે એમણે એ ભૂમિના જનજીવનમાં જાગૃત કર્યો. ઈ. સ. ૧૯૩૪માં પોરબંદરમાં મહારાણું મિસની સ્થાપના કરી. આજે એ વસ્ત્રસજન કરતી મિલ અદ્યતન અને આંશિક રીતે સ્વયં સંચાલન દ્વારા હિન્દની અગ્રગણ્ય મિલોમાં સ્થાન પામી રહી છે. ત્યાર પછી જગદીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org