________________
અભિવાદનન્ત્ર ધ ]
[ ૨૫૧
આપવા ઉદારતા દર્શાવી હતી. આ સિવાય જૈન સંયુક્ત વિદ્યાર્થી ગૃહ, મુંબઈમાં એક સ્કોલર માટે રૂ. ૧૨,૫૦૦; પાલીતાણા બાલાશ્રમ મહુવા શેવૃદ્ધ બાલાશ્રમ તેમ જ કુંડલા વિદ્યાર્થીગૃહમાં તથા માનવ સેવા સંઘમાં રૂ. ૫૦૦૦ તથા અન્ય શૈક્ષણિક સસ્થાઓને તેમણે પ્રેમભાવે દાન કર્યું છે. પણ કીર્તિ કે નામના મેળવવાની કદી ઇચ્છા કરી નથી. ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ જયંતી પ્રસંગે કુટુ અના સભ્યા, સ્નેહીએ અને મિત્રવર્ગ માં ભગવાન મહાવીરના ચાંદીના સિક્કાની પ્રભાવના કરી હતી તથા સીવવાના સંચા નંગ ૮ થી ૧૦ જરૂરિયાતવાળી બહેનોને આપ્યા હતા. હમણાં જેઠ સુદ ૧ તા. ૩૦-૫-૭૬ના રોજ વડીલ દાદાશ્રી નાનચંદભાઈ ને મણ મહેાત્સવ દહીંસરમાં તેમના સુપુત્રા ને કુટુંબીજનેાએ શાનદાર રીતે ઊજવ્યેા. પ્રમુખશ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ તેમના જીવનનાં મધુરાં સ્મરણો રજૂ કર્યાં અને અનેક મિત્રાએ તેમને સન્માન્યા. શ્રી વરલ જૈન મિત્રમડળની સ્થાપના થઈ. તેના સચાલન માટે સારાં વચને કહ્યાં. આ મણિમહાત્સવ ૨૫૦-૩૦૦ જેટલાં ભાઈ બહેનેાએ માણ્યા. આવા આનંદના અવસર ભાગ્યે જ જોવા મળે છે. પુણ્યશાળી દાનવારિધિ શ્રી નાનચંદુબાપા; પુત્ર-પુત્રવધૂએ, પૌત્રા અને પૌત્રીએની લીલી વાડીના પ્રાણપ્રિય દાદા છે. તેમના શતાબ્દી ઉત્સવ ઊજવાય તેમ અધા ઇચ્છે છે. પૂજ્ય દાદા શ્રી નાનચંદભાઈ તથા શ્રી અમીચંદ દામજી પ્રેરિત શેઠ કરશન જીવન ચેરીટેબલ ટ્રસ્ટની રૂ. ૪૧૦૦૦ થી સ્થાપના કરી. કાંદીવલી ઘેાધારી જ્ઞાતિમાં દવાખાના તથા વૈદકીય સારવાર માટે રૂ. ૧૫૦૦૦ ઉપરાંત વિશાળ પુષ્ટમાં રૂ. ૧૫૦૦૦ની ઉદાર સખાવત આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org