________________
અભિવાદનચંદે ]
[૨૪૯ પ્રાચીન સ્તવને, સજ્જા, છંદ અને શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી, શ્રી ચિદાનંદજી તેમ જ શ્રી વીરવિજયજીનાં કાવ્યો ભારે રસપૂર્વક તેઓ વાંચતા. નૈસર્ગિક દ અને ચિત્તની શાંતિ અને આનંદ અર્થે હવા ખાવાનાં સ્થળોએ ન જતાં તે મોટાભાગે તીર્થસ્થાનમાં જતા. શત્રુંજય, ગિરનાર, આબુ, સમેતશિખરજી જેવાં તીર્થસ્થાનમાં અનેકવાર ગયા હતા.
જીવનનાં અંતિમ વર્ષોમાં ધંધા કરતા જાહેર સેવાની તેમ જ ધાર્મિક શિક્ષણની સંસ્થાઓમાં તેઓ વધુ લક્ષ્ય આપતા અને અનેક સંસ્થાઓને મદદરૂપ અને માર્ગદર્શક બનતા. “જે ગમે જગદીશને તે તણે શેક શું ફેક કરવો.” એ સૂત્રમાં તેમને ભારે શ્રદ્ધા હતી અને ચડતી-પડતી તેમ જ સુખદુઃખના અનેક પ્રસંગોમાં આ સૂત્રને યાદ કરી અતિ આનંદ કે અતિ શેકની લાગણીથી મુક્ત રહી સ્થિતપ્રજ્ઞની માફક સ્થિર રહેતા.
તેઓ અતિ શ્રદ્ધાવાન અને ભક્તિરસથી ભરપૂર એવા એક સાચા શ્રાવક હતા. સામાયિક વ્યાખ્યાન-શ્રવણ, સાધુઓ પ્રત્યે ભક્તિ તેમ જ અન્ય ક્રિયાકાંડમાં તેઓ હંમેશાં તત્પર રહેતા અને એમની સાથે પરિચયમાં આવનાર સૌ નાનામેટાં સાથે અતિ સ્નેહ અને પ્રેમપૂર્વક વર્તતા. અન્યના દુઃખે દુઃખી થનાર આવી વ્યક્તિઓ આ વિષમ કાળે બહુ ઘડી જોવામાં આવે છે.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સુપુત્રે દેવેન્દ્રભાઈ તથા સુરેશભાઈને આવા પરમ પિતાને વિયોગ સહેવા તેમ જ પિતાને પગલે ચાલવા-શક્તિ અને પ્રેરણા આપે એ જ અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org