________________
૨૪૮ ]
[ આપણ શ્રેણી શ્રી નાનચંદ શીખવચંદ શાહ - સૌજન્યમૂર્તિ સદ્ગત શ્રી નાનકચંદ શીખવચંદ શાહ શ્રી જૈન ધાર્મિક સંઘ તેમ જ જૈન સમાજની બીજી અનેક ધાર્મિક સંસ્થાઓમાં રસ લેતા શ્રી નાનકચંદભાઈને ૬૦ વર્ષની ઉંમરે ર૫-૮-૬૪ના રેજ હૃદયરેગની બીમારીના કારણે – નીપજેલા અવસાન બદલ શિક્ષણ સંઘે ઊંડા શોકની લાગણી પ્રગટ કરી છે.
શ્રી નાનકચંદભાઈ મૂળ પાટણના વતની હતા. તેમનો જન્મ સંવત ૧૯૬૦માં થયું હતું, અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી મુંબઈ આવી તેમણે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. તેઓ ઓઈલ સીઝ એકસચેન્જ એસેસિયેશનના સભ્ય હતા. એરંડા બજારમાં ધંધો કરતા અને “પ્લેટો” પેનના કારખાનામાં પણ પ્રગતિ સાધી, પિતાના ધંધાને સારી રીતે વિકસાવ્યું હતું. ધંધાને અંગે અનેકવાર ચડતીપડતીના પ્રસંગો જીવનમાં તેમણે અનુભવ્યા તેમ છતાં ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના રણને એમણે બરાબર સુરક્ષિત રીતે જાળવી રાખ્યું.
એમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને મિલનસાર પ્રકૃતિથી સૌ કઈ એમની પ્રત્યે આકર્ષાતું. જ્ઞાન અને ધાર્મિક શિક્ષણ પરત્વે એમને ભારે મમતા હતી. તત્ત્વાર્થસૂત્ર અને નવતત્વ તેમના અતિ પ્રિય વિષયે હતા. મોટી ઉંમરે પણ ગેડીજી ઉપાશ્રયમાં શ્રી હીરસૂરીશ્વરજી જૈન પાઠશાળામાં તેઓ હાજરી આપતા અને ઊંડા ભાવપૂર્વક અભ્યાસવર્ગોમાં રસ લેતા. જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન યુરોપ અને અમેરિકામાં કેમ ફેલાય તે માટે તેમ જ ભારતમાં શિક્ષિત અને કેળવાયેલા યુવાને માટે તત્ત્વજ્ઞાનને અભ્યાસક્રમ તૈયાર કરાવવા માટે તેમની ખાસ ઝંખના હતી. નવતત્વ, તત્વાર્થસૂત્ર તેમ જ વેગને લગતા વિષયે પર તેમનું ખાસ લક્ષ્ય હતું. યુગ અને ધ્યાનના વિષયેની બાબતમાં તેમની આતુરતા એટલી બધી હતી કે ભાવનગરથી પ્રકટ થતા “આત્માનંદ પ્રકાશમાં આ વિષય પર છાપવા માટે એક અંગ્રેજી પુસ્તક પણ મોકલાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org