________________
૨૪૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં
શ્રી નારણ દામજીભાઈ પીઠડીયા ( રાયપુર )
સાહસની પાંખ પર ઊડીને જીવનસિદ્ધિએ સર્જનારા રાયપુરના ઉદ્યોગપતિ શ્રી નારણજીભાઈ દામજીભાઈ પીઠડીયાએ સેવાજીવનની અનેાખી સૃષ્ટિ સર્જી છે.
કચ્છ-અંજારથી આજથી પાણી સદી પહેલાં ઈ. સ. ૧૯૧૨ આસપાસ તૈનપુરના રેલવે કામ અંગે મધ્યપદેશમાં આવેલા મચ્છુકાંઠિયા સઈ-સુતાર પરિવારમાં શ્રી નારણજીભાઈ ના જન્મ ઈ. સ. ૧૯૧૩ના નવેમ્બર માસમાં થયા હતા. વિદ્યાર્થીકાળ શ્રી નારણજીભાઈ એ મહાસુમુન્દ્રમાં વિતાવી મેટ્રિક સુધી પહોંચ્યા હતા.
અભ્યાસ પછી મેટર-ટામેાબાઇલ્સ ક્ષેત્રે પ્રવેશ કર્યાં અને ઈ. સ. ૧૯૩૩માં રાયપુરમાં આજના સમૃદ્ધ અને સિદ્ધિવંત રાયપુર મેટર એન્જિનિયરિંગ વ સના શ્રીગણેશ માંડયા હતા. રાયપુરમાં આજે આર. એમ. ઈ.ના નામે મેટરના ક્ષેત્રમાં તેમની સંસ્થા સુપ્રસિદ્ધ છે.
સાહસ, સખ્ત પરિશ્રમ અને સળવળતી શક્તિના કારણે વ્યવસાયક્ષેત્રના પ્રચંડ વિકાસ સાથે શ્રી નારણજીભાઇ એ જાહેર જીવન અને સેવાક્ષેત્રમાં પણ ઝંપલાવી ભારે સુકીતિ સંપાદન કરી છે.
ગુજરાતી શિક્ષણ મંડળમાં વર્ષો સુધી એકધારી સેવાએ અપણ કરનારા શ્રી નારણભાઈ એ આ સંસ્થાનું પ્રમુખપદ પણ સફળતાપૂર્ણાંક સંભાળ્યુ છે. રોટરી કલબમાં સામેલ થઈ પ્રમુખપદ પર પણ પહોંચ્યા છે અને ઈ. સ. ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી “ એનરરી મેજિસ્ટ્રેટ ”નું ગૌરવવંતું પદ પણ સંભાળ્યુ છે. યુનિયન કલબના પ્રમુખપદ પર પણ દસ વર્ષ સુધી સેવા મજાવી છે. મેસેનિક લેાજના પ્રમુખપદનુ ગૌરવ પણ પ્રાપ્ત કર્યું હતું. જ્ઞાતિક્ષેત્રે મચ્છુકઠિયા સઈ-સુતાર સેવા સમિતિના પ્રમુખપદ પરથી સતત દસ વર્ષ સુધી પ્રમુખપદની જવાબદારીએ શિરે ઉડાવી જ્ઞાતિ-ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિનાં શ્રીગણેશ માંડયાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org