SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] | ૨૪૫ તેજા હેઠળ રતનનગર મધ્યે શ્રી પાટણના મધ્યમ વર્ગોનાં જૈન કુટુંબ માટે એક “ હાઉસિંગ પ્રોજેકટ ” સાકાર થઈ રહેલ છે. પ્રસ્તુત યોજના માટે મ`ડળ તરફથી નીમવામાં આવેલ સમિતિના મંત્રીપદે રહી આ ભગીરથ કાર્યોને સફળ બનાવવા નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. "" શ્રી નવીનભાઈ તેમના મધવા સહિત દરેક ક્ષેત્રે સહકારથી સફળતા પ્રાપ્ત કરે એ જ શુભેચ્છા. શ્રી નાનચંદ તારાચંદ શાહ જૈન શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધા, દેવદર્શીન, પૂજા, દાન, ધર્મ તથા સામાજિક પ્રવૃત્તિએના પ્રાણ સમા શ્રી નાનચંદ્રભાઈ શાર્ડના ભાવનગરના એક સંસ્કારી પરિવારમાં જન્મ થયો. ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈમાં વસવાટ કરે છે. મુંબઈમાં ભાત બજારમાં સૌભાગ્યચંદ કંપનીનુ સફળ સચાલન કર્યું. જૈન બાળકામાં ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધા અને ધાર્મિક આચારવિચારની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક સ્થાને યથાશક્તિ ફાળા આપતા રહ્યા. લક્ષ્મીને બહુજનસમાજના હિત માટે સદુપયેગ કરવાની મ’ગળ મનાકામના કરતાં શ્રી નાનચંદભાઈ અનેક 'સ્થાઓ સાથે જોડાયેલા છે. એલ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે સૌભાગ્યચંદ એન્ડ કુાં.ના પાર્ટનર તરીકે, કોહીનૂર કેટલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર તરીકે, ઘાઘારી જૈન મંદિર મિત્રમ’ડળના સેક્રેટરી તરીકે, એમ્બે ગ્રેન ડીલસ એસેસિયેશનના સભ્ય તરીકે, એમ અનેક સસ્થાઓમાં તેમની સુવાસ પ્રસરેલી છે. તેમનુ જીવન નિરભિમાની છે. પુરુષાર્થ અને પરિશ્રમથી મેળવેલી સંપત્તિના હૃદયપૂર્વક હંમેશાં સદુપયોગ કરતા રહ્યા છે. ધંધાર્થે ઘણુ' કર્યા છે. તીર્થ ધામની યાત્રાએ કરી છે. સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને મોકળે મને હુંમેશાં મદદ કરી છે. શ્રે. કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy