________________
૨૪૪ ]
[ આપણા શ્રેણી માર્ગદર્શન મળતું રહે એવું કૃપાળુ અરિહંત ભગવાન સમીપે ઈચ્છીએ છીએ.
શ્રી નવીનચંદ્ર નેમચંદ શાહ શ્રી નવીનભાઈનું મૂળ વતન પાટણ. આજથી પાંચ દાયકા પહેલાં તેમને જન્મ પાટણના પ્રતિષ્ઠિત પરિવાર શ્રી નેમચંદ જેશંગલાલ શાહને ત્યાં થયેલ. તેઓ પિતાની યુવાશક્તિમાં જ વારસાગત વ્યાવસાયિક સૂઝને ખ્યાલ આપી શકતા હતા.
મહાનગરી મુંબઈમાં તેમણે સારા ઉત્પાદનકાર તરીકે નામના મેળવેલી. “મેસર્સ સારાભાઈ નેમચંદ” નામક ઉદ્યોગગૃહ દ્વારા ટેક્ષટાઈલ એક્ઝીલિયરીઝ અને ગુંદરનાં વિવિધ ઉત્પાદનને સાકાર કરવામાં મહત્વનો ફાળો આપી આયાત-નિકાસના વ્યાપારને પણ વેગ આપે. એઈડરી ઉદ્યોગમાં પણ “વિકાસ એમ્બ્રાઈડર્સ અને પ્રિન્ટર્સ” તથા “મેસર્સ દીપકકુમાર એન્ડ કુ.ની સ્થાપના કરી પ્રભાવજનક પ્રગતિ સર્જી છે. તેમની આ ધંધાકીય વિકાસ કૂચમાં એમના ભાઈઓ શ્રી જયવંતકુમાર, શ્રી લલિતભાઈ શ્રી પ્રવીણભાઈ શ્રી સુરેશભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી હરેશભાઈ તથા શ્રી દીપકભાઈને પણ સાથે રહેલો છે.
શ્રી નવીનભાઈ ધાર્મિક ક્ષેત્રે તેમ જ સામાજિક ક્ષેત્રે પણ શેખ-રસથી સારી સેવા આપી રહ્યા છે. તેઓશ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ તેમ જ શ્રી સિદ્ધગિરિ ભક્તિવિહાર–પાલીતાણે નામક સંસ્થાના ટ્રસ્ટી છે. હાલમાં શાશ્વત તીર્થ પાલીતાણું મળે, શ્રી સિદ્ધગિરિ ભક્તિવિહાર ટ્રસ્ટ દ્વારા ધર્મશાળા તેમ જ દવાખાનું તેમની દેખરેખ હેઠળ બંધાઈ રહ્યાં છે.
પાટણ જૈન સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા કે જે શ્રી પાટણ જૈન મંડળના નામે પ્રચલિત છે, તે સંસ્થાના તેઓ માનદ મંત્રી છે. સંસ્થાના સક્રિય કાર્યકર રહી સમાજકલ્યાણકારી વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યા છે. મુંબઈમાં બેરીવલીમાં, શ્રી પાટણ જૈન મંડળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org