________________
અભિવાદનગ્રંથ ]
[ ર૩૦ તેનું જરૂરી વાચન-મનન થકી જ બાલાશ્રમના હસ્તલેખિત અંક પ્રભાત'માં લેખો-ટુચકા આપ્યા બાદ પાલીતાણા હાઈસ્કૂલના છાપેલ અંક “કૈરવમાં પ્રથમ લેખ “રે ચા તારા પાપે!” પ્રસિદ્ધિ પામતાં બાલાશ્રમના પ્રથમ વિદ્યાર્થી તરીકેના લેખ દ્વારા સૌના ધન્યવાદ મળેલ. ડિબેટિંગ મિટિંગમાં કેપ્ટન રહી સારી સેવા–સાહિત્ય પણ આપતા રહ્યા. “ગુલાબ”, “કલ્યાણ” તથા “બાલજીવન” –
બાલમિત્રમાં નાના ટુચકા–લેખે આવવા શરૂ થયા અને ભાઈનું ગાડું આગળ ચાલ્યું. ને મેટાં માસિક પત્રમાં પણ આવવા શરૂ થયા. શરૂમાં મોકલાયેલા લેખે પાછા આવતા, પરંતુ હિંમત હારે એ બીજા. મઠારી ફરીવાર એકલતા જ. ને એ થકી લેખક બનવાના પ્રયત્ન થયા. તેમનો “આંધળીમાને પત્ર” પત્ર-લેખ હજી ભુલાય નહિ તે મૂર્તિમંત છે. સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ સંસ્થા સાંસ્કૃતિક – ધાર્મિક વાતાવરણ થકી જ સારા એવા લેખક બની શક્યા. | શ્રી વાવડી કરે રાજકેટ બાજુના “ચંબા-રાષ્ટ્રીય શાળામાં ગાંધી વિચારસરણીને અભ્યાસ કરેલ. ને ગાંધી-વિચારધારાએ રંગાયા. સ્વાવલંબન–હાથે રાંધવું, વાસણ સાફ કરવાં, હાથે કાંતવું; વણવું ને બનાવેલ ખાદી પહેરવી વગેરે બાબતેના પ્રભાવ તળેથી પસાર થયેલા.
માતૃસંસ્થામાં ગૃહપતિ તરીકે રૂ. ૪૦માં સેવા આપવી શરૂ કરી. વિવિધ પ્રવૃત્તિમય જીવન દ્વારા બાળકનું ઘડતર શરૂ કર્યું. પણ દરેક બાળકને ખુશ કરવું સહેલી વાત ન હાઈ ને આર્થિક દષ્ટિના વિચારે બ્રહ્મચર્યાશ્રમ સેવા આપવી શરૂ કરી. પરંતુ ખંતને ચક્કસાઈભર્યું કાર્યજીવન યશસ્વી સિદ્ધિને આરે લઈ જાય છે જ! તેની શુભ શરૂઆત પાલીતાણામાં કેન્ફરન્સ ભરાતાં, ડે. ભાઈલાલભાઈ બાવીશી તથા આ પત્રના તંત્રી શ્રી ગુલાબચંદભાઈએ શ્રી વાવડીકર જેવા યુવાનની પ્રતિભા પારખી. સ્થાનિક કાર્યમાં ય ખંતપૂર્વક કાર્ય જોઈ, શ્રી અખિલ ભારતીય જેન વેતાંબર કેન્ફરન્સના કાર્યાલયમાં તેમની નિયુક્તિ થઈ. આમ પૂરી ધગશ ને લગન દ્વારા મુંબઈના જન-જીવનમાં પ્રવેશ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org