________________
૨૩૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી નગીનદાસ વાવડકર જાતે કર્યું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠુંજી; જાતે ઝૂઝવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી.
જેને કહેવતની શબ્દગૂંથણીએ કહીએ તો “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહિ.” માણસ બીજાને જોવા કરતાં જાતને જ જેતો જાય, પિતાની આત્મશક્તિ પર વિશ્વાસ રાખીને નિર્ધારિત કાર્યમાં પુરુષાર્થ કરતે જાય તેનાં ચરણોમાં સિદ્ધિઓને આવવું જ પડે છે તેમાં કશી નવાઈ અનુભવવા જેવું નથી. કેમકે દઢ મને બળ, અખૂટ ધૈર્ય અને લોખંડી શક્તિ એ મનુષ્ય-જીવનના વિકાસને પાય છે. શરીરે કદમાં નાના હોવા છતાં ય જીવન-સિદ્ધિની વધુ ઉચાઈ પ્રાપ્ત કરનાર સન્મિત્ર શ્રી નગીનદાસ વાવડીકરને ઉપરોક્ત વાત બરાબર સ્પર્શે છે.
પાલીતાણુ પાસેના મોટી વાવડી ગામે જન્મેલા શ્રી વાવડકરને સેવા અને ધર્મ-સંસ્કારને ઉદાત્ત વારસે તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી જસરાજભાઈ રણછોડદાસ શાહ અને માતુશ્રી સમરથબહેન તરફથી મળે છે. પ્રાથમિક શિક્ષણ ધ-૪ સુધી વાવડી ગામમાં લીધેલ. ત્યારબાદ ધો-પથી શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમમાં મેટ્રિક સુધી ને એ પછી યે એક દાયકા સુધી પાલીતાણાને પોતાની કર્મભૂમિ બનાવીને તેમણે જાહેર જનજીવનમાં સફળ પ્રવેશ કર્યો.
બાલ્યવયથી જ સાહિત્યસર્જનની રુચિ જોવા મળતી હતી. સિદ્ધક્ષેત્ર બાલાશ્રમના પ્રાંગણની શીળી છાંયે ધાર્મિક અભ્યાસ પણ સારો થયે જે થકી પાયામાંથી જીવનમાં ધાર્મિક સંસ્કારો સુદઢ બન્યા. સાહિત્ય અને સંગીતને શોખ જીવન વિકાસમાં અગ્રેસર બન્ય. સંગીતકાર-કવિ બનવા માટે આઠ-દસ બુક રાખીને મનપસંદગીનાં ગીતે ઉતારતા અને છેડા ફેરફાર સાથે સ્તવનમાં ફેરવતા. તેઓશ્રી પા-વાંસળી પણ સારી રીતે વગાડી જાણતા. કસરત-ફરવાને લાભે જાણી તેને અમલ પણ કરતા. પરંતુ... સાહિત્યસર્જનની રુચિ, ગજબનાક શેખ; તે તરફના અથાક પ્રયત્ન જીવનવિકાસમાં આગેકૂચ કરી. વાર્તાકાર તરીકેને મહાવરે કેળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org