________________
૨૩૦ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી નરેન્દ્ર ઈન્દુલાલભાઈ ભુવા એક પ્રતિભાશીલ પુરુષમાં હેવી ઘટે તેવી શાણપણભરી નેતૃત્વશક્તિ અને દીર્ઘદ્રષ્ટિપૂર્વકની સાહસિક વૃત્તિથી કેમિકલ તેમ જ પેટ્રોકેમિકલ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ સવા સાથોસાથ જ્ઞાતિ અને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થઈ અનેરી સૌરભ પ્રસરાવનાર યુવાન ઉદ્યોગપતિ શ્રી નરેન્દ્ર ઈન્દુલાલભાઈ ભુવા.
“ઘટમાં ઘોડા થનગને ને યૌવન વીંઝે પાંખ;
અણદીઠેલી ભેમ પર યૌવન માંડે આંખ. ”
શ્રી ઝવેરચંદ મેઘાણીની આ કાવ્યપંક્તિઓ સાંભળતાં જ એક વ્યક્તિ નજર સમક્ષ તરી આવે અને તે છે શ્રી નરેન્દ્ર ઈન્દુલાલભાઈ ભુવા. બચપણથી જ તેમની સ્વપ્નશીલ ખેમાં કશુંક કરી દેખાડવાની તમન્ના હતી. સાહસિક સ્વભાવ હતું. તેમાં સાથ મળ્યો તેમના કાર્યદક્ષ પિતાશ્રી સ્વ. શ્રી ઈન્દુલાલ ભુવાને. સોનામાં સુગંધ ભળી, કલ્પનાને પાંખ ફૂટી – ઘુઘવાટ કરતા મહાસાગરની જેમ એમની પ્રવૃત્તિઓ અને પ્રગતિઓ આગળ અને આગળ વધતી ગઈ.
- બી. એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેઓશ્રી તેમના સદ્ગત પિતાશ્રીએ સ્થાપેલી કંપની મે. ઈન્ડો-નિપાન કેમિકલ કં. લિમિટેડમાં જોડાયા. ૧૯૬૫માં તેઓ આ કંપનીના ડાયરેકટર બન્યા. તેમની આગેવાની હેઠળ આ કંપનીએ સફળતાનાં અભુત શિખરો સર કર્યા. પેટ્રોકેમિકલ્સના વિકાસની અગણિત શક્યતાઓને ધ્યાનમાં લઈ તેમના સદ્દગત પિતાશ્રી સ્વ. શ્રી ઈન્દુલાલ ભુવાએ એકઝ.આલ્કોહોલના ઉત્પાદનની કલ્પના કરી હતી. અને શ્રી નરેન્દ્રભાઈ એ મે. ઈન્દુનિસાન એક કેમિકલ ઈન્ડ. લિ.ની સ્થાપના કરી તેમના પિતાશ્રીનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું. આજે તેમની આગેવાની હેઠળ આ કંપની ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે અને દેશનું કરેડે રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવી રહી છે.
પિતાની ઔદ્યોગિક પ્રવૃત્તિની સાથે સાથે તેઓ ઘણી બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org