SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ) [ આપણા શ્રેષ્ઠીવર્યાં જીવનભર સેવા અને સાહસની જ્યેાત જલતી રાખનારા શ્રી ધીરજલાલભાઈ ના જન્મ વાંકાનેરમાં સ્થાનકવાસી જૈન વણિક પિરવારમાં ઇ. સ. ૧૯૨૦ના સપ્ટેમ્બર મહિનાની પાંચમી તારીખે યેા હતા. પ્રાથમિક શિક્ષણ વાંકાનેરમાં લીધા પછી ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રાપ્ત કરી ગવર્નમેન્ટ લે! કાલેજ દ્વારા ઈ. સ. ૧૯૪૧માં એલએલ. ખી.ની ડિગ્રી સપાદન કરી હતી. કાનૂની શિક્ષણ પ્રાપ્ત કર્યા છતાં કિસ્મતની કુંડળી અનુસાર શ્રી ધીરજલાલભાઈ એ અદાલતને આંગણે પહેાંચવાને બદલે પુનાની મશીનરી બજારને માર્ગ પકડીને મશીનરી સામગ્રીના વ્યાપાર સાથે કિસ્મત જોડી દીધું હતું. યૌવનકાળના એ અનેાખા ઉત્સાહભર્યો ચેતન અને થનગનાટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા “ વેસ્ટ એજિનિયસ ”ના નામથી મશીનરી વ્યાપારક્ષેત્રમાં સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું. આ ક્ષેત્રની ઉદ્યોગસ સ્થાએ બાટલીમેાય અને સીમેન્સ વગેરેની એજન્સીએ પ્રાપ્ત કરી હતી. આ ઔદ્યોગિક યાંત્રિક સામગ્રીના ક્ષેત્રમાં સિદ્ધિભરી સફળતા હાંસલ કર્યા પછી આ સાહસભર્યો હૈયાએ ઈ. સ. ૧૯૪૯માં ઉદ્યોગક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ઇ. સ. ૧૯૧૩માં તેા સ્વતંત્ર સૃષ્ટિનું સર્જન કર્યું. આજે તેમની ઉદ્યોગસ’સ્થા “ ગુડવીન ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરૅશન ( ઇન્ડિયા ) ” ઔદ્યોગિક સામગ્રીનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. વાર્ષિક ઉત્પાદન રૂ. વીશ લાખનુ છે. આ કારખાનામાં પલ્ચરાઈઝર, ટ્રાન્સમિશન ફાઉન્ડ્રીનાં સાધના અને છે. કૃષિક્ષેત્રનાં યંત્રા-પમ્પસેટ, ડીપવેલ અને બેરિંગ પમ્પના પણ ડીલર છે. વ્યાપારઉદ્યોગની અવિરત આગેકૂચ સાથે તેમના અંતરમાં ઊછળતી સેવા-ભાવનાથી અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાના પંથે પ્રયાણ આદરી સુપ્રીતિ પ્રાપ્ત કરી છે. પુનાની લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા શ્રી પુના ગુજરાતી બંધુ સમાજના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy