________________
બજા
અને એજ્યુકેશન કર, પ્રાંગધ
ઓફ ઇન્ડિયા
અભિવાદનગ્રંથ ]
[ ૨૨૭ જોડાયેલા છે. ખાસ કરીને તેઓશ્રી નેમીનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે; શ્રી ગવાલિયા ટેક જૈન સંઘના સતત પાંચમી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા છે. વિયવલ્લભસૂરિ જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે તેમ જ ઓલ ઈન્ડિયા શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના ઉપપ્રમુખ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ખજાનચી છે. વિશેષમાં તેઓશ્રી ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ, ધ્રાંગધ્રા સોશ્યલ ગ્રુપ તથા જૈન વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તથા જૈન એસેસિયેશન ઓફ ઈન્ડિયા વગેરે સંરથાઓમાં પણ સેવાઓ આપી રહ્યા છે. દિલ્હીમાં રૂપિયા બે કરેડના ખર્ચે તૈયાર થઈ રહેલ શ્રી વિજ્યવલ્લુભ સ્મારક ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમને વિનમ્ર સ્વભાવ, તેમની ઉદારતા અને તેમની પ્રસન્ન મુખમુદ્રા છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ મનની સ્વસ્થતા ગુમાવતા નથી પરંતુ શાંત ચિત્તે તેને ઉપાય વિચારે છે અને તે અવશ્ય શોધી કાઢે છે.
તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબેન પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને શ્રી ઝાલાવાડ જૈન મહિલા મંડળના મંત્રી તથા શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિરના ટ્રસ્ટી તેમ જ શ્રી શંખેશ્વર જૈન મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી તારાબેનની સેવાઓ ઉલ્લેખનીય છે. પાલીતાણા શેત્રુંજય હેપિટલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
- શ્રી ધીરજલાલ કે. મહેતા (પુના)
સમાજજીવનની સંઘર્ષભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સૌજન્યને દીપક જલાવીને જે કર્મવીરોએ જીવનમાં નૃતન પંથ અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાતભરી સાધનાઓ પછી સુવર્ણ સિદ્ધિઓને વર્યા છે. પુનાના પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ અને અગ્રેસર શ્રી ધીરજલાલભાઈ કેવળચંદ મહેતાનું સમગ્ર જીવન કર્મ વીરતાને સંદેશ સુણાવી રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org